મંગળવાર, 29 સપ્ટેમ્બરે શનિ મકર રાશિમાં માર્ગી થઇ જશે. એટલે હવે સીધો ચાલતો જોવા મળશે. ત્યાર બાદ આવતા વર્ષે મે મહિના સુધી શનિની ચાલમાં ફેરફાર થશે નહીં. શનિની સીધી ચાલથી અનેક લોકોનો મુશ્કેલ સમય પૂરો થઇ શકે છે. શનિની ચાલ બદલાવાથી દેશ-દુનિયાની આર્થિક સ્થિતિ અને રાજકારણમાં ફેરફાર આવી શકે છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે પણ સમય ઠીક-ઠાક રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. મકર રાશિમાં શનિના માર્ગી થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.
શનિની ચાલમાં ફેરફાર થવાથી નક્ષત્રમાં આવી જવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામ તો પૂરા થશે પરંતુ મહેનત વધારે રહેશે. ધનલાભ થઇ શકે છે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળશે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઇ શકે છે. શનિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઇ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહી. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઇએ. શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં છે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે હનુમાનજીની પૂજા કરો. શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરો. તેલ, તલ, કાળા કપડાં, અડદ અને ચામડાની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. શનિવારે શનિદેવને તેલ ચઢાવો. શનિદેવની પૂજા કરીને ૐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો