ઘણી એવી જગ્યા છે, જે વીરાન છે,પરંતુ રહસ્યમયી લાગે છે. સામાન્ય રીતે તો આવી જગ્યાઓ પર મહત્તમ લોકો જતા નથી, પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી ડરાવની કહાનીઓ પણ પ્રખ્યાત હોય છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બિલકુલ વીરાન છે. ત્યાં કોઈપણ લોકોની અવર-જવર નથી. ખરેખર 10 વર્ષ પહેલા આ જગ્યા પર લોકો વસવાચ કરતા હતા, પરંતુ બાદમાં એક ઘટનાના કારણે હવે અહીંયા કોઈપણ લોકોની અવર-જવર નથી. ત્યાં સુધી કે, તે જગ્યા પર જાનવરોને પણ જવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. આ જગ્યાએ ફ્રાંસના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત છે. અહીંયા લોકો ન આવવા પાછળ એક ખતરનાક હેરાન કરી દે છે.
વિસ્તારમાં કુલ 9 ગામ હતા
આ જગ્યાનુ નામ ‘જોન રોગ’ છે. આ એટલુ ખતરનાક છે કે, અહીંયા જગ્યા-જગ્યા પર ‘ડેંજર ઝોન’ બોર્ડ લગાવવામાં આવ્યા છે. એવુ એટલા માટે કહેવામાં આવ્યુ છે કે, જો કોઈ ભૂલથી પણ આ જગ્યાની આસાપાસ આવી ગયુ તો તે આ બોર્ડ વાંચી આગળ વધવાની ભૂલ કરશે નહી. જોકે, આ જગ્યાને ફ્રાંસની બાકી જગ્યાઓ પરથી અલગ-થલગ રાખવામાં આવી છે. જેથી અહીંયા કોઈ આવી શકે નહી. આ જગ્યાને ‘રેડ ઝોન’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા આ વિસ્તારમાં કુલ 9 ગામ હતા, જ્યાં લોકો રહેતા હતા અને ખેતી-વાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ વિશ્વ યુદ્ધના સમયે આ જગ્યા પર એટલા બમ-ગોળા પડ્યા જેથી આખો વિસ્તાર જ તહસ-નહસ થઈ ગયો હતો. ઘણા લોકો માર્યા ગયા અને આ જગ્યા રહેવાલાયક બચી નથી.
જાનલેવા તત્વ મળેલા છે
કહેવામાં આવે છે કે, આ આખા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત સામગ્રી ફેલાયેલી છે. જેના કારણે અહીંયાની જમીન ઝેરી થઈ ગઈ છે. એટલુ જ નહી, અહીંયાના પાણીમાં પણ જાનલેવા તત્વ મળેલા છે. કારણ કે, આ વિસ્તાર ઘણો મોટો છે અને આખા વિસ્તારની જમીન અને પાણીને કેમિકલ યુક્ત બનાવવું શક્ય નથી. તેથી ફ્રાંસ સરકારે આ લોકોને અહીંયા આવા પર પાબંદી લગાવી દીધી છે. વર્ષ 2004માં અહીંયાની માટી અને પાણીની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં આર્સેનિક મળી આવ્યા હતા. આક્સેનિક એવો ઝેરીલો પદાર્થ છે, જેની થોડુ પણ પ્રમાણ જો ભૂલથી પણ માણસના મોઢામાં ચાલ્યુ ગયુ તો કેટલાક કલાકોમાં તેની મોત પણ થઈ શકે છે.