બાંગ્લાદેશે ત્યાં રહેલા શરણાર્થી રોહિંગ્યાઓની નસબંધી કરાવવાની યોજના બનાવી છે. કેહવાઈ રહ્યું છે કે રોહિંગ્યાઓની વધતી જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. તેથી જ આ યોજના ઘડવામાં આવી છે. ગયા મહિને બાંગ્લાદેશે રોહિંગ્યાઓના કેંપમાં કોન્ડમ વિતરણ કર્યા હતા. પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાઈ નહીં. મ્યાનમારમાં હિંસા બાદ લગભગ 6 લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં શરણાર્થીઓ તરીકે રહેવા લાગ્યાં છે.
મ્યાનમારથી આવેલા શરણાર્થીઓને ભોજન અને સ્વચ્છ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. કેટલાંક અધિકારીઓને ડર છે કે આવી સ્થિતિમાં જો જનસંખ્યા પર નિયંત્રણ ન મૂકવામાં આવ્યા તો સ્થિતિ હજુ વધારે ખતરનાક બની શકે છે. જે જગ્યાઓએ રોહિંગ્યાઓના કેમ્પ છે, તે જિલ્લામાં ફેમિલી પ્લાનિંગ સર્વિસના પ્રમુખ પિંટુ કાંતી ભટ્ટાચાર્જીએ જણાવ્યું હતું કે, ‘રોહિંગ્યા લોકોમાં જનસંખ્યા નિયંત્રણને લઈને જાગૃતિની ઉણપ છે.’
રોહિંગ્યાઓમાં શિક્ષણનો અભાવ છે. તેથી જ જનસંખ્યા નિયંત્રણ અંગેની જાગૃતિની પણ કમી છે. રોહિંગ્યા કેમ્પ્સમાં મોટો પરિવાર હોય તે વાત સામાન્ય છે. કેટલાંક લોકોના તો 19 કરતાં પણ વધારે બાળકો છે અને ઘણા રોહિંગ્યાની એક કરતા વધાર પત્નીઓ છે.જિલ્લા પરિવાર નિયોજન અધિકારીઓએ ગર્ભનિરોધક વિતરણ માટે એક અભિયાન શરુ કર્યો હતો, પરંતુ અત્યાર સુધી આ લોકો વચ્ચે માત્ર 550 કોન્ડમ પેક્ટ્સનું જ વિતરણ કરાયું છે. પરંતુ ઘણા લોકો તો કોન્ડમ યુઝ કરવા પણ નથી માગતા. તેથી જ અધિકારીઓએ સરકાર પાસેથી આ લોકોની નસબંધી કરવાની માંગણી કરી હતી.
ઘણા શરણાર્થીઓએ વાતચીતમાં જણાવ્યું કે, ‘મોટો પરિવાર હોવાથી આવા કેમ્પોમાં રહેવામાં તેમને મદદ મળે છે. ભોજન અને પાણીને લઈને સંઘર્ષ કરવો પડતો હોવાથી બાળકો આ કામ સરળતાથી કરી લે છે.
આથી વસ્તીને નિયઁત્રણમાં રાખવા આવું પગલું ભરવું પડ્યું છે.