નવી દિલ્હી : વિશ્વમાં કોરોના વાયરસ રોગચાળાની અસર સતત ફેલાઈ રહી છે, દરરોજ હજારો નવા દર્દીઓ તેમાં સપડાય છે. પરંતુ આ દરમિયાન એક રાહતના સમાચાર છે. ગુરુવારે (30 એપ્રિલ) કોરોના વાયરસ રોગચાળોમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 10 લાખનો આંક વટાવી ગઈ છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 10 લાખ 14 હજાર 761 લોકો કોરોના વાયરસના રોગચાળાને માત આપીને સ્વસ્થ થયા છે.
આ આંકડા એ દર્શાવે છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવવું એટલે સીધું મૃત્યુ નથી, પરંતુ તેની સામે લડતા તેને હરાવી પણ શકાય છે.
જો આપણે કુલ આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં વિશ્વના 32 લાખથી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. તેમાંથી બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.