નવી દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 6977 નવા કેસ નોંધાયા છે અને 154 લોકોનાં મોત નીપજ્યાં છે. 25 મે, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ દેશમાં હવે કુલ દર્દીઓની સંખ્યા 1 લાખ 38 હજાર 845 છે, જેમાં 4 હજાર 21 લોકોનાં મોત નીપજ્યાં છે.
તે જ સમયે, કોરોનાથી સ્વસ્થ (રિકવર) લોકોની સંખ્યા 57 હજાર થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 57 હજાર 721 લોકો સાજા થયા છે. દેશમાં 77 હજાર 103 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. હવે દર્દીઓની કુલ સંખ્યા 50 હજારથી વધુની છે અને 1635 લોકોનાં મોત નીપજ્યાં છે.
જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, ભારતે કોરોના ચેપના મામલામાં ઈરાન (1,25,701) ને પાછળ રાખીને ટોચના 10 દેશોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એટલે કે ભારત હવે વિશ્વના દસ સૌથી મોટા કોરોના પ્રભાવિત દેશોમાં સામેલ થઈ ગયું છે.