આ વાત તો સૌ કોઇ જાણે છે કે, દુનિયામાં સૌથી અધિક વેચાનારી બૂક કામસૂત્નાં લેખક મહર્ષિ વાત્સ્યાયન છે. પણ આપણાંમાંથી ઘણાં ઓછા લોકો જાણે છે કે, વાત્સ્યાયન આજીવન બ્રહ્મચારી રહ્યાં. છતાં તેમણે સેક્સની પ્રગાઢ સમજ હતી. અને આ કલાને તેમણે ઘણાં નવાં અને સુંદર પ્રકાર આપ્યાં. આ ક્રમમાં તેમણે કામસૂત્ર જેવી પુસ્તકની રચના કરી. જે સદીઓ બાદ આજે પણ પ્રાસંગિક છે. આજે અમે આપને તે અંગે વિસ્તારથી જણાવીશું. બનારસમાં ઘણો સમય વિતાવનારા ઋષિ વાત્સ્યાયન ખુબજ જ્ઞાની હતાં. તેમણે વેદની પણ સંપૂર્ણ સમજ હતી.
મહર્ષિ વાત્સ્યાયને પહેલી વખત વૈજ્ઞાનિક સ્તરે જણાવ્યું હતું કે, આકર્ષણનું વિજ્ઞાન શું છે. તેમનું માનવું હતું કે, જે રીતે આપણે જીવનથી જોડાયેલાં તમામ બાજુઓની વાત કરીએ છીએ તે રીતે આપણે સેક્સની પણ ઉપેક્ષા ન કરવી જોઇએ. તેનાં વિશે પણ વાત થવી જોઇએ. વાત્સ્યાયન ધાર્મિક શિક્ષાઓ સાથે જોડાયેલા હતાં. તેમણે કામસૂત્ર લખી પણ કહેવાય છે કે તેઓ ક્યારેય સેક્સ સંબંધિત ક્રિયાઓમાં સંલગ્ન ન હતાં.કહેવાય છે કે, ઋષિ વાત્સ્યાયને કામસૂત્ર, વેશ્યાલયોમાં જઇને જોયેલી મુદ્રાઓને નગરવધુઓ અને વૈશ્યાઓ સાથે વાત કરીને લખી.