મીડિયા અહેવાલો અનુસાર, ભારતથી 12 મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન સોમવારે પાકિસ્તાનના કરાચી શહેરમાં જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વિશેષ ફ્લાઇટ 12:10 વાગ્યે (સ્થાનિક સમય) કરાચી એરપોર્ટ પર ઉતરી હતી.
પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAA) ના પ્રવક્તાએ આની પુષ્ટિ કરતા કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય ચાર્ટર પ્લેન ભારતથી ઉડાન ભર્યું હતું અને આ સિવાય તેનો અન્ય કોઈ દેશ સાથે કોઈ સંબંધ નથી. કરાચીમાં ઉતરાણ કર્યાના થોડા સમય પછી, વિશેષ ફ્લાઇટ તમામ 12 મુસાફરો સાથે ફરીથી ઉડાન ભરી. કરાચી એરપોર્ટ પર પ્લેનને કયા કારણે લેન્ડ થયું તે હજુ સ્પષ્ટ નથી.
નોંધનીય છે કે આ પહેલા પણ ટેકનિકલ કારણોસર ગયા મહિને ભારતથી ટેકઓફ કરી રહેલા બે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. 5 જુલાઈના રોજ, સ્પાઈસ જેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ફ્યુઅલ ઈન્ડિકેટર મિડ એર ફેઈલ થઈ ગયું હતું, ત્યારબાદ તેને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. 17 જુલાઈના રોજ, ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટને સાવચેતીના ભાગરૂપે કરાચી તરફ વાળવામાં આવી હતી કારણ કે પાઇલોટ્સે એન્જિનમાં ખામી જણાઈ હતી.