કોરોના સંકટ વચ્ચે બીજાં રાજ્યો અને દેશોમાં ફસાયેલા લોકોનો પોતાના ઘરે પહોંચવાનો સિલસિલો ચાલુ છે. ક્યારેક કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રહેલા ઇટાલીમાં પણ હવે ગામો તરફ પાછા ફરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી ભવિષ્યમાં કોઇ પણ મહામારી કે સંક્રમણનો સામનો કરવામાં મદદ મળશે.
તેમાં એક મોટો હિસ્સો યુવાઓનો પણ છે. મોટા ભાગના યુવાઓનું કહેવું છે કે તેઓ શહેરોમાં નાસ-ભાગના જીવન, હિંસા-આતંકવાદ અને નશા જેવી ચીજોથી છુટકારો મેળવવા માગે છે. બીજું હવે ગામોમાં પણ શહેરો જેવી મોટા ભાગની સુવિધાઓ મળી રહે છે. ઇન્ટરનેટના કારણે ઓફિસના ઘણાં કામ સરળ થઇ ગયાં છે ત્યારે તેમના પર શહેરોમાં પડતો આર્થિક દબાવ પણ ઓછો થશે.
ઇટાલીનું સંસ્કૃતિ મંત્રાલય પણ ગ્રામીણ વિસ્તારોમાં પર્યટન, ઉદ્યોગ અને સુવિધાઓ વધારવાનો વિચાર કરી રહ્યું છે. ગામો તરફ લોકોની દોટ વધતા સામાજિક -આર્થિક સંગઠનો સરકારને એવી નીતિ બનાવવાની માગ કરી રહ્યા છે, જેનાથી વેરાન થયેલાં ગામોને ફરી આબાદ કરી શકાય.