કોરોનાકાળમાં વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે. ચોકલેટ ખાવાની અસર ઇન્ફ્યુએન્ઝા વાઇરસ પર જોવા મળી. રિસર્ચમાં જાણવા મળ્યું કે, જે લોકો ચોકલેટ ખાય છે તેમના વેક્સીનેશન પછી ઇમ્યુન રિસપોન્સ તીવ્ર બની જાય છે. સંશોધકોના જણાવ્યાનુસાર, શરીરમાં કોકો પહોંચવા પર એન્ટિ-માઇક્રોબિયલ એક્ટિવિટી વધે છે, જે ઇન્ફ્યુએન્ઝા વાઇરસની અસર ઘટાડે છે.
તેને મર્યાદિત માત્રામાં ખાવી ફાયદાકારક છે કારણ કે, તે મનને ખુશ રાખવાની સાથે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધારે છે. એક રિસર્ચ અનુસાર, બે અઠવાડિયાં સુધી દદરો ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે. ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ વધારતા હોર્મોન કન્ટ્રોલમાં આવે છે. તેને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટે બહુ પાવરફુલ માનવામાં આવે છે. તેના કારણે સોજો, ચિંતા અને ઇન્સુલિન વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે. વૈજ્ઞાનિકોના જણઆવ્યાનુસાર, ચોકલ્ટમાં રહેલું કોકો ફ્લેનવોલ વધતી ઉંમરની અસરને ઝડપથી નથી દેખાવા દેતું. તેમજ, એક અમેરિકન રિસર્ચ અનુસાર, દરરોજ હોટ ચોકલેટના 2 કપ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની શક્તિ પણ સારી બને છે.