ઈરાનમાં ઘટતા જન્મદર વચ્ચે ધર્મગુરુ મોહમ્મદ ઈદરીસીએ સંસદ અને તંત્રને અનોખો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું કે,‘લગ્ન ના કરતા લોકો પાસેથી ટેક્સ વસૂલવો જોઈએ. જેમના લગ્ન 28 વર્ષની વય સુધી ના થાય તેમની પાસેથી લગ્નમાં થતા સરેરાશ ખર્ચ જેટલો ટેક્સ વસૂલવો જોઈએ. આ ઉપરાંત અપરિણીત લોકોને ઉચ્ચ હોદ્દા કે યુનિવર્સિટીમાં ભણાવવા જેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપવી જોઈએ નહીં.’ તેમના આ પ્રસ્તાવનો હેતુ સૈન્યમાં જવાનોની સંખ્યા વધારવાનો છે. ઈરાનમાં આમ તો યુવતીઓ માટે લગ્નની વય 18 અવે યુવકો માટે 20 વર્ષ છે. પરંતુ તેમને અનુક્રમે 13 અને 15 વર્ષની વયે પણ મંજૂરી મળી જાય છે. ખરાબ આર્થિક સ્થિતિ અને બેરોજગારીને કારણે અહીં લગ્નની સરેરાશ વય વધી છે. 2020માં જન્મદર 2.97 ટકા અને 2019માં 2.88 ઘટ્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનાઈ ઈચ્છે છે કે, દેશની વસ્તી 2050 સુધી 8.18 કરોડથી બમણી થઈ જાય.
Friday, May 17