નવી દિલ્હી : ભારત તરફથી ચીનને સતત આર્થિક આંચકા આપવામાં આવી રહ્યા છે. માર્ગ નિર્માણ અને ડિજિટલ ક્ષેત્રમાં પ્રતિબંધો લાદી આંચકા આપ્યા બાદ હવે પાવર ક્ષેત્રનો વારો આવ્યો છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે કહ્યું છે કે, વીજ પ્રોજેક્ટ માટે ચીનમાંથી જે પણ આયાત કરવામાં આવી હતી, હવે સરકાર તેનું નિયમન કરી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યુટી વધારી શકાય છે.
મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં આર.કે.સિંહે કહ્યું હતું કે, સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે, જેથી સરળતાની આયાત કડક કરવામાં આવશે. ચીની કંપનીઓને કાબૂમાં રાખવા માટે, કસ્ટમની સાથે સાથે કડક નિયમો કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારત પાસે એવી શક્તિ છે કે આપણે ચીનને આર્થિક સ્તરની સાથે યુદ્ધ ક્ષેત્રે પણ દબાણ કરી શકીએ. આજે આખું વિશ્વ ભારતની સાથે છે, ભારતનું મજબુત નેતૃત્વ આમાં છે.