નવી દિલ્હી : લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પર તણાવપૂર્ણ પરિસ્થિતિઓ છે. 7 સપ્ટેમ્બર રાત્રે ચીની સેનાએ ફાયરિંગ કર્યું હતું, જેને ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. હવે આ સમગ્ર ઘટના અંગે ભારતીય સેના દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. સેનાનું કહેવું છે કે, ભારત એલએસી પર તણાવ ઓછો કરવા માટે પ્રતિબદ્ધ છે. ચીન આગળ વધવા માટે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
બેઇજિંગ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે ભારતીય સેનાએ કહ્યું કે કોઈ પણ તબક્કે ભારતીય સેનાએ એલએસીને પાર કરી નહોતી અને ફાયરિંગ સહિત કોઈપણ આક્રમકતાનો ઉપયોગ કર્યો નથી. ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો વચ્ચેના કરારનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક દાવપેચ ચલાવી રહી છે.