ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ મોતની અટકળો ગયા અઠવાડિયે મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી પરંતુ એક ફેક્ટરીના ઉદ્ધાટનમાં પહોંચીને કિમે આખી દુનિયાને ચોંકાવી દીધી. તેણે હાલની તસ્વીરો આવ્યા બાદ દરેક અફવા અને અટકળો પર વિરામ લાગી ગયો. પરંતુ કિમના કથિત રીતે અચાનક ગાયબ થવાને લઈને જે ખબર આવી રહી છે તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉને પોતે જ પોતાના મરવાની અફવાહ ઉડાવી હતી. એક રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉન એવું એટલા માટે કર્યું હતું કે તે પોતાની આસ પાસ લોકોની ઓળખ કરી શકે જે સત્તા પર તેની પકડ કમજોર કરવા પર તુલ્યા હતા અને તેની સાથે ગદ્દારી કરી રહ્યા હતા.
માટે તેમણે આવું નાટક રચ્યું હતું. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અચાનક લગભગ 20 દિવસ માટે ગાયબ થઈ ગયો હતો અને તે કોઈ પણ સાર્વજનિક અને સરકારી કાર્યક્રમોમાં દેખાતો ન હતો. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેના ખરાબ સ્વાસ્થ્યને લઈને મોતની પણ અટકળો શરૂ થઈ ગઈ હતી. અમેરિકાએ તો કિમ વિશે જાણકારી એકત્ર કરવા માટે સેટેલાઈટ સુધીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે એક ફર્ટિલાઈઝર ફેક્ટરીના ઉદ્ઘાટનમાં કિમ જોંગ ઉનના પહોંચ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે કિમ જોંગ ઉનના મરવાની અફવાહ ખુદ તેણે જ ઉડાવી હતી જેથી તેની આસપાસના ગદ્દારોને તે ઓળખી શકે.