નવી દિલ્હી : લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ભારતે સરહદ પર નિર્ભય ક્રુઝ મિસાઇલ પણ તૈનાત કરી છે. આ મિસાઇલ 1000 કિલોમીટર સુધી શૂટ કરવામાં સક્ષમ છે. નિર્ભય મિસાઇલ તિબેટમાં ચીનના લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે.
5 મહિનાથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ બંને દેશોની સેનાઓ સામ-સામે હોય છે. આવી સ્થિતિમાં ભારતે તેની સૌથી વિશ્વસનીય મિસાઇલ સરહદ પર ગોઠવી દીધી છે. તેની રેન્જ 1000 કિ.મી. છે.
મિસાઇલની વિશેષતા શું છે ?
આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમાહોક મિસાઇલ સાથે તુલનાત્મક છે. આ મિસાઇલ ભટક્યા વિના તેના લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે. નિર્ભય ક્રુઝ મિસાઇલને ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરી છે. આ મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 12 માર્ચ, 2013ના રોજ કરવામાં આવ્યું હતું. નિર્ભય બે તબક્કાની મિસાઇલ છે, પ્રથમ તબક્કામાં ઉભી, બીજા તબક્કામાં આડી. તે પરંપરાગત રોકેટની જેમ સીધા આકાશમાં જાય છે અને પછી બીજા તબક્કામાં આડી ઉડાન માટે 90-ડિગ્રી વળાંક લે છે.