કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓને ભારત મોકલવાનું કાવતરું રચનાર આરોપી જાલિમ મુખિયા ની ધરપકડ કરવામાં આવી છે. મુખિયાની રવિવાર મોડી રાત્રે નેપાળના પરસા જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, નેપાળ સરહદ ના રસ્તે બિહારથી પશ્ચિમ ચંપારણ અને બેતિયા જિલ્લામાં સંક્રમિત જમાતીઓની ઘૂસણખોરીના કાવતરાની વાત સામે આવ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. નેપાળના મીડિયાએ દાવો કર્યો હતો કે, દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકજમાં જાલિમ મુખિયા પણ સામેલ હતો ત્યાંથી પરત ફર્યા બાદ જાલિમ મુખિયાએ ભારતીય અને વિદેશી સહિત 24 જમાતીઓને મસ્જિદમાં આશરો આપ્યો હતો. આ જમાતીઓની જ્યારે તપાસ કરાવવામાં આવી તો તેમનામાંથી ત્રણ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ સૌને આઇસોલેશનમાં રાખવાના આદેશ આપવામાં આવ્યો હતો.
Sunday, May 19