નવી દિલ્હી : અમેરિકી ચેમ્બર્સ ઓફ કોમર્સ (USIBC) (યુ.એસ.-ભારત બિઝનેસ કાઉન્સિલ) ‘ઇન્ડિયા આઈડિયાઝ સમિટ -2020’ યોજવા જઈ રહી છે. આ સમિટમાં બંને દેશોની વાતચીતના આધારે અમેરિકા અને ભારતની વધુ ભાગીદારી નક્કી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મી જુલાઈએ આ સમિટને સંબોધન કરશે.
યુએસઆઈબીસીએ કહ્યું છે કે, ભારત સરકાર અને અમેરિકા સરકારના ઉચ્ચ અધિકારીઓ આ સમિટમાં એક સાથે આવશે, જે કોરોના રોગચાળા બાદ સ્વસ્થ થવા માટે માળખા પર કામ કરી રહ્યા છે.
આ વર્ષે વડાપ્રધાન મોદી સિવાય સંમેલનમાં સંબોધન કરનારાઓમાં યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીયો, યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોમ ડોનોહ્યુ, ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર, વર્જિનિયા સેનેટર માર્ક વોર્નર અને અન્ય ઘણા નેતાઓ શામેલ છે.
આ કાર્યક્રમ 22 જુલાઇના રોજ સવારે 8.30 થી બપોરે 12 સુધી યોજાશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.