પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. શહેબાઝ શરીફે શનિવારે વડાપ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમના સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના નેતા ઓમર અયુબ ખાને પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ઓમર અયુબ ખાનને પૂરતું સમર્થન મળી શક્યું ન હતું. શાહબાઝ શરીબ વડા પ્રધાન બન્યા કે તરત જ અયુબ ખાને આનો વિરોધ કર્યો.
તેમણે આરોપ લગાવ્યો કે દેશના નેતાને પસંદ કરવા માટેની ચૂંટણી ગેરકાયદેસર હતી.
તેમણે કહ્યું, “અમને જે બેઠકો મળવા જોઈતી હતી તે મળી નથી, તેથી સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને વડાપ્રધાનની ચૂંટણી ગેરકાયદેસર છે.” તમને જણાવી દઈએ કે આ પહેલા પીટીઆઈએ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પણ ધાંધલધમાલનો આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી ઈમરાન ખાનને વડાપ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેનો વિરોધ કરશે.