પ્યુ રિસર્ચ સેંટરની સર્વેક્ષણ રિપોર્ટ સમિતિએ તાજેતરમાં સરકારની પસંદગી અંગે સર્વે કર્યો છે. જેમાં ભારતમાં 85 ટકા લોકો પોતાની સરકાર પર વિશ્વાસ કરતા હોવાની વાત સામે આવી છે.રસપ્રદ વાત એ છે કે બહુસંખ્યક ભારતીય સૈન્ય શાસન અને તાનાશાહીનુ પણ સમર્થન કરે છે. સર્વેક્ષણ રિપોર્ટમાંમુજબ મજબૂત લોકતાંત્રિક મૂલ્યોને ઓળખાનારા ભારતમાં 55 ટકા લોકો કોઈ ન કોઈ પ્રકારના તાનાશાહીનુ સમર્થન કરે છે. તેમાથી 27 ટકા લોકો મજબૂત નેતા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવે છે પણ સરકારની નીતિ લોકપયોગી કામગીરી કરવાની હોવાથી જનતા જનાર્દનનો સહયોગ તેમને મળી રહ્યો છે. જો કે મોદી સરકાર નીતિ લોકો પાસેથી લઈને લોકોને જ આપવાની છે પણ આપવાની નીતિ હોવાથી જનતાનો સપોર્ટ તેમને મળી રહ્યો છે. વિકાસની ગતિમાં ઝડપથી આગળ ધપતી મોદી સરકાર ભવિષ્યમાં સુવિધા અને સવલત આપશે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. લોકોની ખરીદ શક્તિ, ઈચ્છા શક્તિ અને વિચાર શક્તિ પ્રબળ બની છે. લોકોની વિચારધારા પણ બદલાઈ છે. પાંચ રૂપિયાની વસ્તુ ખરીદતા લોકો આજે પચાસ રૂપિયાની અને પાંચસો રૂપિયાની વસ્તુ ખરીદતા લોકો હજારની વસ્તુ ખરીદતા થયા છે.
ભારતમાં 65 ટકા લોકો એવી સરકારના સપોર્ટમાં જોવા મળ્યા કે જેઓ પોતાના ફિલ્ડમાં એકસપર્ટ હોય. વિદેશની વાત કરીયે તો વિયેટનામ અને ફિલિપીન્સમાં લોકો આવી સરકારના પક્ષમાં છે. આનાથી ઉલ્ટુ ઓસ્ટ્રેલીયામાં 57 ટકા લોકોનું માનવું છે કે આવી સરકાર કોઇ કામની નથી હોતી.
મિલિટ્રી રૂલ ઇચ્છતા લોકો પણ ઓછા નથી. ભારતના 53 ટકા અને સાઉથ આફ્રિકાના બાવન ટકા લોકો આવા શાસનના પક્ષમાં છે. જો કે 50 વર્ષથી ઉપરના લોકો મિલિટ્રી રૂલના પક્ષમાં નથી અને તેઓએ લોકતંત્રને પહેલી પસંદ ગણાવી હતી. રિપોર્ટમાં જણાવાયુ છે કે પોતાના મજબુત લોકતાંત્રિક મૂલ્યો માટે ઓળખાતા ભારતમાં 55 ટકા લોકો કોઇને કોઇ પ્રકારથી તાનાશાહીનું સમર્થન કરે છે. જેમાં 27 ટકા લોકો મજબુત નેતા ઇચ્છે છે.
આપ ખુદ શાહીની તરફેણ કરનાર એશિયા પ્રશાંતના ત્રણ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 65 ટકા, વિયેટનામમાં 67 ટકા અને ફિલિપીન્સમાં 62 ટકા લોકો નિષ્ણાંત દ્વારા કરાતા શાસનને પસંદ કરે છે. દ.આફ્રિકાના 52 ટકા લોકો સૈન્ય શાસનને કાર્યક્ષમ માને છે.
ટૂંકમાં કહીયે તો મોદીના વિદેશ પ્રવેશથી ગરીબડા ભારતની છાપ એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રની તરીકે ઉપસી આવી છે. જેની સાબિતી વૈશ્વિક સંમેલનમાં ભારત તરફી નિર્ણયોમાં જોવા મળી રહ્યા છે. ચીન સામેનો ડોકલામ વિવાદ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારે હવે જોવું રહ્યું વિદેશમાં ભારતને વિકસિત રાષ્ટ્રની છબી ઉપસાવનારી મોદી સરકાર આવનારી વિધાનસભામાં કેટલે અંશે વિશ્વાસનો મત મેળવી શકશે તે જોવું રહ્યું