કોરોનાવાઈરસના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે. કંપનીઓ રીસ્ટ્રક્ચર કરીને કર્મચારીઓને છૂટા કરી રહી છે. આવી સ્થિતિમાં પહેલાંથી જ મહામારીનો સામનો કરી રહેલા લોકો માનસિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં પરિસ્થિતિને સમજવી મહત્વપૂર્ણ છે. જો તમને પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તો મનમાં ઘણા સવાલ ઉભા થશે, પરંતુ સૌથી જરૂરી છે કે તમે આ તબક્કાને કેવી રીતે જુઓ છો. સોશિયલ વર્કર અને વર્કપ્લેસ કોટ મેલોડી વાઈલ્ડિંગ કહે છે કે, સૌથી સારી વસ્તુ જે તમે કરી શકો છો, તે છે પોતાની વાતને વ્યક્ત કરવી. જાતને દુઃખી થવા દો, પરંતુ આગળનું પગલું કંઈક એવું હોવું જોઈએ જેનો કોઈ અર્થ નીકળતો હોય. તે ખાસ કરીને કોરોનાવાયરસના સંદર્ભ સાથે સંકળાયેલો હોવો જોઈએ. નોકરી ગુમાવવાનું દુઃખ માત્ર એકલતા અથવા આર્થિક મુશ્કેલીના કારણે નથી વધતું. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા પણ તેનું કારણ છે. છટણી તમને અલગ કરી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઘરની બહાર એકલા કામ કરી રહ્યા હોવ. યાદ રાખો કે તમે માત્ર આ સમયે એકલા નથી, પરંતુ ઘણા લોકોએ કોઈના કોઈ તબક્કે એમ્પલોઈડ ગેપનો અનુભવ કરે છે. એક રિસર્ચ દર્શાવે છે કે લગભગ 40 ટકા અમેરિકાના કર્મચારીઓને એક વખતમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમે તમારા સંપર્કમાં હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એસોસિયેટ પ્રોફેસર લોરા હુઆંગના જણાવ્યા પ્રમાણે, આ સમયે લોકો કામ શોધવાનો પ્રયત્ન કરવા અસર્મથ છે. આ લોકો જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેને જણાવવામાં શરમ અનુભવે છે. ડોક્ટર હુઆંગના જણાવ્યા પ્રમાણે, તમારી લાગણીને ડેટા તરીકે વાપરો. તેના અનુસાર આંધળા થઈને ચાલવાની જગ્યાએ તમે તમારી જાતને સવાલ કરો કે તમે કે શરમ અનુભવી રહ્યા છે. તેમાંથી શીખો અને તમારી ભાવનાને તમારા ફાયદા તરીકે જુઓ.
Monday, May 6