નવી દિલ્હી : જ્યારે ભારતે સીધા ચીન અને અન્ય પાડોશી દેશોના ભારતમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ચીન ગુસ્સે ભરાયું હતું. સોમવારે (20 એપ્રિલે) ચીને ભારતના આ પગલા સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, સીધા વિદેશી રોકાણ માટેના ભારતના નવા નિયમો ડબલ્યુટીઓના બિન-ભેદભાવના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને મુક્ત અને ન્યાયી વેપારની વિરુદ્ધ છે. ચીને આશા વ્યક્ત કરી હતી કે, ભારત ‘ભેદભાવપૂર્ણ પ્રણાલીઓ’ સુધારશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે સીધા ચીન અને અન્ય પાડોશી દેશોના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે રોગચાળાની ઉથલપાથલ વચ્ચે સ્થાનિક કંપનીઓનું ટેકઓવર અટકાવવા આ નિર્ણય લીધો છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ઇટાલીએ પણ આ પ્રકારના પગલા લીધા છે. સરકારના આ નિર્ણયને રાહુલ ગાંધીએ આવકાર્યો છે.
નોટિફિકેશનમાં સ્પષ્ટપણે ચીનનું નામ નથી
ભારત સાથે સરહદો વહેંચતા દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ દેશોના સંસ્થાઓ ભારત સરકારની મંજૂરી વિના રોકાણ કરી શકશે નહીં. જોકે સરકારે જારી કરેલા જાહેરનામામાં ચીનના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે ભારત સાથે સરહદ વહેંચતા તે તમામ દેશોને રોકાણ પહેલાં સરકારની મંજૂરીની જરૂર રહેશે.
કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા દ્વારા સાબિત કર્યું છે કે, ચીન અને તેના જેવા અન્ય પાડોશી દેશોને મંજૂરી વિના તેમના દેશની કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખરેખર, કારોના સંકટના યુગમાં ભારતીય કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચીન જાતે જ અથવા અન્ય કોઈ પડોશી દેશ દ્વારા ભારતમાં પોતાનાં રોકાણમાં વધારો કરી શકે છે. ઉપરાંત નવી કંપનીઓ ખરીદવાથી ભારતીય અર્થવ્યવસ્થામાં સીઘી દખલ થઈ શકે છે. તેને રોકવા માટે, એફડીઆઇ કાયદામાં ફેરફારની જરૂર હતી.