રશિયાએ મંગળવારે યુક્રેનની સૈન્યને “તત્કાલ શસ્ત્રો નીચે મૂકવા” કહ્યું હતું. રશિયાએ યુક્રેનિયન લડવૈયાઓને પોર્ટ સિટી મારિયુપોલ પર ઘેરો ઘાલ્યો છે તેઓને શક્ય તેટલી વહેલી તકે તેમનો પ્રતિકાર છોડવા હાકલ કરી છે. આનાથી યુક્રેનિયન આર્મીને નવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે કિવને “સમજદારી દાખવવા અને લડવૈયાઓને તેમના શસ્ત્રો મૂકવાનો આદેશ આપવા કહ્યું છે.” એવું કહેવામાં આવ્યું છે કે જો તેઓ તેમની જીદ છોડી દે અને બપોરથી તેમના હથિયારો મૂકવાનું શરૂ કરે, તો તેઓને જીવિત રહેવાની મંજૂરી આપવામાં આવશે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ફરી એકવાર કિવ સત્તાવાળાઓને સમજણ બતાવવા અને લડવૈયાઓને તેમના અણસમજુ પ્રતિકારને રોકવા માટે સંબંધિત આદેશો આપવાનું આહ્વાન કરીએ છીએ.” “પરંતુ, તે સમજીને કે તેઓને કિવ સત્તાવાળાઓ તરફથી આવી સૂચનાઓ અને આદેશો પ્રાપ્ત થશે નહીં, અમે (લડવૈયાઓને) સ્વેચ્છાએ આ નિર્ણય લેવા અને તેમના શસ્ત્રો નીચે મૂકવા માટે હાકલ કરીએ છીએ,” તેમણે ઉમેર્યું.
રશિયન સૈન્યનું અલ્ટીમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે તેણે પૂર્વી યુક્રેનમાં દેશના ઔદ્યોગિક હાર્ટલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે મંગળવારે એક મોટો ગ્રાઉન્ડ લેવલ હુમલો શરૂ કર્યો હતો, જેને યુક્રેનિયન અધિકારીઓએ “યુદ્ધનો નવો તબક્કો” ગણાવ્યો છે.
યુક્રેનના જનરલ સ્ટાફે મંગળવારે વહેલી સવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ ડોનબાસ પ્રદેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના પ્રયાસો વધારી દીધા છે. જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કબજો કરનારાઓએ સરહદ પર અમારી સુરક્ષા કોર્ડનનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.”
સોમવારે લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રદેશોને નિશાન બનાવીને 300-માઇલ (480-કિલોમીટર) કરતાં વધુ મોરચા પર હુમલા કરવામાં આવ્યા હતા. રશિયન દળો પડોશી ખાર્કિવ સહિત ઘણા વિસ્તારોમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.