ઢાકાઃ વડાપ્રધાન મોદી અત્યારે પડોશી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીનો બીજો દિવસ છે. મોદી બીજા દિવસે સૌથી પહેલાં PM મોદી દક્ષિણપૂર્વ સતખિરા આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. અહીંથી તેઓ હવે ઓરકાંડીના મતુઆ સમુદાય મંદિર જશે. ઓરકાંડી તે જ જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ઘણું મહત્વનું માનવામાં આવે છે.
અહીં વડાપ્રધાને કહ્યું હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, મા કાળી દુનિયાને કોરોના સંક્ટમાંથી મુક્તિ અપાવે. મારો પ્રયત્ન હોય છે કે, મોકો મળે તો 51 શક્તિપીઠ જઈને માથું નમાવું. મેં સાંભળ્યું છે કે, જ્યારે અહીં નવરાત્રિમાં મા કાળીનો મેળો શરૂ થાય છે ત્યારે સીમા પારથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. અહીં કોમ્યુનિટી હોલની જરૂર છે. તે ભક્તો માટે અને ઈમરજન્સીના સમયમાં લોકો માટે શરણસ્થળનું કામ કરશે. ભારત સરકાર આ કોમ્યુનિટી હોલ બનાવશે.
ત્યારપછી વડાપ્રધાન ગોપાલગંજ દિલ્લાના તુંગીપારામાં રાષ્ટ્રબંધુના પિતા બંગબંધુ શેખ મુજીબુક રહમાનની સ્મારક પર જશે. અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાનું પૈતૃક ગામ છે. અહીં બનેલા સ્મારકની આ કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી યાત્રા છે. આ પહેલાં બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસે યાત્રાના પહેલાં દિવસે શુક્રવારે વડાપ્રધાન મોદીએ રાજનેતાઓ સાથે મુલાકાત કરી હતી.
બાંગ્લાદેશ સરકારે વડાપ્રધાન મોદીની યાત્રા પહેલાં જ જશોરેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ માટે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા કરવા માટે ખુબ ઉત્સાહિત છે.
વડાપ્રધાન મોદી ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થસ્થળ ઠાકુરબાડીમાં અંદાજે 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. ત્યારપછી મોદી તેના સમકક્ષ શેખ હસીના સાથે ચર્ચા-વિચારણાં કરશે. ત્યારપછી તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે પણ મુલાકાત કરશે.