પૃથ્વી પરની સૌથી ચતુર પ્રજાતિ તરીકે વિકસિત થયા બાદ મનુષ્યને મૃત્યુની ઘટના હંમેશા આશ્ચર્યમાં મુક્તિ રહે છે. ધાર્મિક પાઠયપુસ્તકો ટાંકીને આધ્યાત્મવાદીઓ ઘણી વાર એવી દલીલ કરે છે કે માનવ જીવન જે હાલ ભૌતિક સ્વરૂપે છે તે માત્ર કામચલાઉ છે અને મૃત્યુ પછી આત્મા બીજા પરિમાણમાં જીવતો રહે છે. આ થિયરીને વધુ પુરાવો આપતા, હાઝીમ નામના યુવકે પોતાના મૃત્યુ પછીના અનુભવો શેર કર્યા જેમાં તેણે નવા વૈશ્વિક પરિમાણ જોયું હોવાનો દાવો કર્યો.સિરિયન નાગરિક હાઝીમે પોતાના મૃત્યુ-નજીકના અનુભવનો ટેસ્ટીમોનીઅલ NDERF (Near-Death Experience Research Foundation) વેબસાઈટ પર શેર કર્યા હતા. હાઝીમે પોતાના અનુભવો અરબીમાં લખ્યા હતા, બાદમાં જેનું અહમદ હસ્સા દ્વારા અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે તેણે એક એવા પરિમાણીય સમયમાં પહોંચી જવાનો દાવો કર્યો જે તેણે પહેલા ક્યારેય જોયો ન હતો. “મેં મારી જાતને અચાનક એક બ્રહ્માંડીય પરિમાણમાં જોયો. હું ગુલાબી વાદળોની ઉપર કોઈ અવકાશીય જગ્યા પર હતો જ્યાં વિશાલ કદના ધાતુના વર્તુળો ગગનચુંબી ઇમારતોની આસપાસ ગોળ ફરી રહ્યા હતા. ત્યાં એ આત્મીય આકૃતિઓ હતી જે ટેલીપથી એટલે કે મનના તરંગોથી વાતો કરી રહી હતી. તેમાંથી એકે બીજાને આદેશ આપ્યો અને કહ્યું, ‘એની યાદ ભૂંસી નાખ અને તેના માટે એક નવું શરીર તૈયાર કર’. જે રીતે પુનર્જન્મમાં થતું હોય છે. ત્યારબાદ અમને એક ધાતુના વિશાલ વર્તુળાકાર ચક્રમાં મૂકી દેવામાં આવ્યો અને તે ગોળાકારે ફરવા લાગ્યું. ત્યારબાદ મારી યાદ ધીમે ધીમે જવા લાગી.” હાઝીમે NDERF ની વેબસાઈટ પર લખ્યું ત્યારબાદ હાઝીમને કોઈ અજ્ઞાત અવાજ સંભળાયો જેમાં કહેવાયું કે ભૌતિક જગતમાં તેનો સમય પૂરો નથી થયો. તેને પાછો મોકલો કારણકે તેને હજુ ઘણા કામ કરવાના બાકી છે. હાઝીમે ઉમેર્યું કે તે સમયે તે સંપૂર્ણપણે તેનો દેહ છોડી ચુક્યો હતો અને સ્પષ્ટ કર્યું કે તે અનુભવ સુખદ પણ ન હતો કે દુઃખદ પણ ન હતો. જોકે, તેણે એમ પણ કહ્યું કે તે સમયે તેના વિચારો સામાન્ય સંજોગો કરતા વધુ ઝડપી હતા. સેમ પર્નિયા એક એવા ઊંચા ગજાના નિષ્ણાત વૈજ્ઞાનિક છે જેમણે પોતાનું સમગ્ર જીવન મૃત્ય નજીકના અનુભવોના અભ્યાસમાં લગાવી દીધું છે તેમણે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે મૃત્યુ એક પ્રક્રિયા છે ન કે કોઈ શ્વેત-શ્યામ ક્ષણ. તેમના જણાવ્યા મુજબ, મનુષ્યનું મગજ જયારે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે બહારના જગત તરફ તે અબુધ, બેભાન થઇ જાય છે. જેને સરળ શબ્દોમાં માનવ જીવનનું મૃત્યુ કહે છે. પર્નિયા માને છે કે હેલુસીનેશન એટલે કે ભ્રાંતિ/આભાસ થવો એ મૃત્યુ-નજીકના અનુભવો સાથે સંકળાયેલ છે નહિ કે મૃત્યુ પછીના જીવન અંગેના પુરાવા. પર્નિયાના જણાવ્યા મુજબ, માનવ મસ્તિષ્ક જયારે જીવ પર જોખમ અનુભવે છે ત્યારે જીવન ટકાવી રાખવાની યુક્તિ અજમાવે છે, જેને પરિણામે આભાસ જેવી વિચિત્ર સ્થિતિ ઉભી થાય છે.
Sunday, May 19