દુનિયાભરમાં કોરોના સંક્રમણે તબાહી મચાવી છે અને વેક્સીનના આવવા સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત બધી સંસ્થાઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટસિંગનુ પાલન કરવા માટે નિયમ બનાવ્યા છે. જોકે, લોકો લાખા મોત છતા કોરોના સંક્રમણને ગંભીરતાથી લઈ રહ્યા નથી. ઈંડોનેશિયામાં આવા જ લોકો માટે માસ્ક પહેરવા પર એક અલગ જ પ્રકારની સજાની જાહેરાત કરવામાં આવી છે. ઈંડોનેશિયાના ઈસ્ટ જાવા પ્રાંતના પ્રશાસને માસ્ક ન પહેરનાર લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરેલા લોકોની કબર ખોદવાનો આદેશ આપ્યો છે. ઈસ્ટ જાવાના ગેરસિક રીજેંસીના 8 લોકોને માસ્ક પહેરવાથી મનાઈ કર્યા બાદ પાસેના જ નોબબેટન ગામમાં એક સાર્વજનિક કબ્રિસ્તાનમાં કબ્ર ખોદવાની સજા આપવામાં આવી છે. જણાવી દઈએ કે, અહીંયા કોઈને પણ કોરોના દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની મંજૂરી આપી નથી. ત્યારબાદથી કબ્ર ખોદનાર લોકોને શોધવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે. કોર્મ જિલ્લાના વડા સુનેઓએ જણાવ્યું હતું કે, કબ્ર ખોદનારા લોકોની અમારી તંગી છે, તેથી નિયમોનો ભંગ કરનારા લોકો આ કામમાં કાર્યરત થશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આ સજાને કારણે લોકો માસ્ક ન પહેરવાની ભૂલ કરશે નહીં. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં બે લોકોને કબર ખોદવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 218,382 કેસ નોંધાયા છે. રાજધાની જકાર્તામાં, 54,220 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે પૂર્વ જાવામાં 38,088 દર્દીઓ મળી આવ્યા છે. બીજી તરફ, ઇન્ડોનેશિયામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 8,723 પર પહોંચી ગઈ છે.
Monday, May 6