બ્રિટેનમાં એક બેટ્ટી નામનો કાગડો ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે. આ કાગડો કોઈ પણ તારને લઈ તેને વાળીને હુક બનાવે છે. બાદમાં તેની મદદથી ખાવાનું એકઠુ કરે છે. બેટ્ટીની આ ઘટના 2002 ની છે. ત્યારે તેણે પોતાની આ તરકીબથી અનેક લોકોને વિચારવા મજબૂર કર્યા હતા. વૈજ્ઞાનિકો પણ મુંઝવણમાં હતા કે, આ કાગડા કઈ રીતે અધરામાં અધરી ઘટનાને પોતાની રીતે હલ કરી શકે છે. તેનું મગજ પણ માણસની માફક મુશ્કેલી સવાલોના જવાબ શોધવા મથી રહ્યુ છે. આ કાગડો પણ એવો છે, જે વાર્તા આપણે નાનપણમાં સાંભળતા હતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, બેટ્ટીની કહાની પણ વાર્તાના કાગડા કરતા પણ વધારે ચતુર કહાની છે. બાદમાં સંશોધનમાં ખ્યાલ આવ્યો છે કે, આ બેટ્ટી નામનો કાગડો જે નસ્લનો છે તેનું નામ કૈલેડોનિયન ક્રો કહેવાય છે. આ પ્રજાતિના કાગડા નાની વસ્તુઓને હથિયાર બનાવી તેનો ઉપયોગ કરવામાં શાણા હોય છે.
આ કાગડા પર સંશોધન કર્યા બાદ વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા હતા કે, તેમનામાં ચતુરાઈ કુદરતી રીતે હોય છે. બ્રિટેનમાં સેંટ એન્ડ્યુઝ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ક્રિસ્ટિયન રટ્ઝ કહે છે કે, બેટ્ટીનું આ પ્રકારનું વર્તન જોઈ કાગડા પ્રત્યેનું આપણો મત બદલવા મજબૂર થયા છીએ. વિતેલા થોડા વર્ષોમાં વૈજ્ઞાનિકોએ કાગડા પર ખાસ્સા સંશોધન કર્યા છે. તેમની અંદર જ્ઞાન સંબંધી ચોંકાવનારી ક્ષમતાઓ જોવા મળી છે. પણ શું કાગડો સાચે જ બુદ્ધિમાન હોય શકે છે. આ પ્રશ્નનો જવાબ જાણતા પહેલા એ જાણવુ જરૂરી છે કે, કોઈ પણ જીવમાં તે કેવી રીતે વિકસીત થાય છે. આ પ્રશ્નનો જવાબ શોધવા માટે કાગડાની આ કહાની આપણને ખૂબ જ મદદ કરશે. બુદ્ધિમાનના મૂળિયા મગજમાં હોય છે. માણસો સહિત તમામ પ્રાઈમેંટસ એટલે કે, વાનર પ્રજાતિના જીવોમાં મજગની અંદર એક ખાસ રચના હોય છે. જેને નિયોકોર્ટેક્સ કહેવાય છે. માનવામાં આવે છે કે, આપણા દિમાગમાં જ્ઞાન સંબંધિત અનેક સંભાવનાઓને જન્મ આપે છે. મજાની વાત તો એ છે કે, કાગડાના મગજમાં પણ નિયોકોર્ટેક્સ જોવા મળતુ નથી. તેનું કારણ એ છે કે, તેમના દિમાગમાં તંત્રિકાઓની જાળ હોય છે. જે તેને જ્ઞાન સંબંધિત ક્ષમતા આપે છે.