દુનિયાભરના 200 શહેર અને 10 મેટ્રો સિટી ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. આ શહેરોમાં ભારતના બેંગલુરૂનો પણ સમાવેશ થાય છે. ‘ડે ઝીરો’નો અર્થ એ છે કે,અનેક શહેરોમાં પાણીની ભયાનક અછત સર્જાશે અને લોકોનું જીવવું દુર્લભ થઈ જશે.
વર્લ્ડ વોટર ડે (વિશ્વ જળ દિવસ) છેલ્લા 22 વર્ષથી વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આફ્રિકાના શહેર કેપટાઉનની માફક દક્ષિણ ભારતના બેંગલુરૂ શહેરમાં પણ ઝડપથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે. થોડા જ વર્ષો કે મહિનાઓમાં અહીં પાણીની ભંયંકર સમસ્યા ઉભી થઈ શકે છે. થોડા જ સમયમાં અહીં ‘ડે ઝીરો’ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. જેને અંતર્ગત શહેરની તમામ પાણીના નળને બંધ કરીને પાણીનો બચાવ કરવામાં આવશે.
અનેક વૈશ્વિક અહેવાલને લઈને કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દુનિયાભરના 36 ટકા શહેરો સામે પાણીની ભયંકર સમસ્યા મોં ફાડીને ઉભી હશે. 2050માં શહેરોમાં પાણીની માંગ 80 ટકા જેટલી વધી જશે.
પાણીની વિકટ સમસ્યા મો ફાડીને ઉભી છે જે યોગ્ય સમયે તેને અટકાવવામાં નહી અાવે તો અાવનારો સમય વધુ કપરો સાબીત થશે અેમા શંકાને કોઈ સ્થાન નથી.