મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું માનવું છે કે આ સમય આપણે ઘમંડ રાખવાનો નથી, પરંતુ અત્યારે આપણે એક સાથે આ મોટી સમસ્યાનો સામનો કરવો જોઇએ, જે કોરોનાવાયરસના રૂપમાં આવી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના નાગરિકો વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
ઋષિ કપૂરે ટિ્વટ કર્યું હતું કે, “સંપૂર્ણ આદર સાથે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેમના દેશને પર્યાપ્ત સાવચેતી રાખવાની સલાહ આપવી જોઈએ. પાકિસ્તાનના લોકો પણ અમને પ્રિય છે. એક સમય હતો જ્યારે આપણે બધા એક હતા અને અમે ચિંતિત પણ છીએ. આ વૈશ્વિક કટોકટી છે. અહીં કોઈ ઘમંડનું સ્થાન નથી. ”
With all due respect, Pakistan Prime Minister Imran Khan should also advice his country to take adequate precautions. People of Pakistan are also dear to us. Once we were one. We are concerned too. This is a global crisis. No ego matter this. We love you guys. Humanity zindabad !
— Rishi Kapoor (@chintskap) March 19, 2020
ઋષિના નિવેદનની પ્રશંસામાં, પાકિસ્તાની ગાયિકા શફકત અમાનત અલીએ કહ્યું, “તમારા આ મનોહર શબ્દો બદલ આભાર. તમને ખૂબ પ્રેમ અને આદર. તમે સાચા છો, આ ક્ષણમાં આપણે બધા સાથે છીએ અને તેનો સંબંધ કોઈ પણ એક દેશ સાથે નથી, પરંતુ માનવતા સાથે છે. માનવતા જીવંત છે! હું આશા રાખું છું કે આપણે જલ્દીથી આ સંકટને દૂર કરી શકીશું. ”
વિશ્વમાં કોરોનાના પ્રકોપમાં અત્યાર સુધીમાં લગભગ 10,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 2.5 લાખથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે.