હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ કોરોના નો સામનો કરી રહ્યો છે અને હાલમાં લોકડાઉન ની સ્થિતિ વચ્ચે દાતાઓ ખુલ્લા મને દાન કરી રહ્યા છે તેવે સમયે ભારત ના બે મોટા ક્રિકેટર હરભજસિંહ અને યુવરાજ સિંહ કોરોના ની સ્થિતિ માં પાકિસ્તાન ના લોકો ને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે પરિણામે ભારત ના લોકો માં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અને બન્ને ક્રિકેટર સોસિયલ મીડિયા માં બરાબર ના ટ્રોલ થયા છે. હરભજન સિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એવું જણાવી રહ્યો છે કે પાકિસ્તાન ના ખેલાડી અફ્રિદી પોતના ફાઉન્ડેશન મારફતે પાકિસ્તાન ના નાગરિકો માટે ફંડ એકત્ર કરી રહ્યો છે જે ખુબજ સારી વાત છે અને પોતાના ફેન્સ ને આ ફાઉન્ડેશન માં દાન આપવા અપીલ કરતો નજરે પડે છે આપ પણ સાંભળો હર હજન ની આ અપીલ. હરભજન ની અપીલ થી વાત અહીં અટકતી નથી પણ સાથેસાથે હરભજસિંહે આ માટે યુવરાજ સિંહ ને પણ નોમિનેટ કરી પાકિસ્તાનીઓ ને મદદ માટે અપીલ કરે છે જેથી યુવરાજસિંહ પણ ચાહકો ને મદદ કરવા અપીલ કરતો જણાય છે આપ પણ સાંભળો પાકિસ્તાન માટે તો ક્રિકેટર આફ્રિદી પોતાના પાકિસ્તાની લોકો માટે ફંડ એકત્ર કરી રહ્યો છે પણ ભારતીય ક્રિકેટર પોતાની માભોમ કાજે કોઈ મદદ કરતા નથી અને બીજા દેશ માટે અપીલ કરતા લોકો ગુસ્સે ભરાયા છે હાલ માં પાકિસ્તાન માં આફ્રિદી પોતાના દેશ ના લોકો માટે કોરોના મહામારી માં આગળ આવતા પાકિસ્તાન માં તેના સેવાકાર્ય ની સરાહના થઈ રહી છે. ભારત ના ક્રિકેટર હરભજન અને યુવરાજ ના પાકિસ્તાન પ્રેમ ને લઈ ભારત ના લોકો માં બન્ને ક્રિકેટર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા આ રીતે આપી રહયા છે. આમ પાકિસ્તાન પ્રેમ બતાવનાર બન્ને ક્રિકેટરો ભારત માં દેશવાસીઓ ને મદદ કે મદદ ની અપીલ કરવાને બદલે પડોશી દેશ ના લોકો ની ચિંતા થતા બને ક્રિકેટર ભારત ના લોકો માં રોષ નો ભોગ બન્યા છે અને ભારે ટ્રોલ થયા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.