આહવા:-
કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત સાથે-સાથે જનસભાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આહવા ડાંગ સર્કિટ હાઉસ ખાતે ટોચના કોંગ્રેસ આગેવાનો અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની મુલાકાત સફળ રહે અને આદિવાસી અધિકાર યાત્રાનો સમાપન સમારોહ દબદબાભર્યો રહે તે માટેનુ આયોજન ઘડી કાઢવામાં આવી રહ્યુ છે. ડેડીયાપાડમાં રાહુલજીની જનસભા ઉપરાંત વાંસદામાં આદીવાસી રેલી અભૂતપૂર્વ રહે તે માટેના પ્રયાસો આદરાયા છે.
ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Rahul Gandhi ગુજરાત સ્થાપના દિવસ ૧ મેં ના રોજ રાજ્યની એક દિવસની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી ૧ મેના રોજ ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધીનો અમદાવાદ ખાતે પણ કાર્યક્રમ ગોઠવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત, આદિવાસી સંમેલન તથા આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને વ્યવસ્થીત વ્યુહરચના ગોઠવી કાઢવાના ભાગરૂપે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ પાંચ દિવસથી ગુજરાત આવ્યા છે. જેમાં તેમણે ભરૂચમાં જ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા,પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ઉપપ્રમુખ મૌલીન વૈષ્નવ અને શંકરસિંહ વાઘેલા સાથે આ મુલાકાતના આયોજન અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં રાહુલ ગાંધી ઉપરાંત ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ અને ચૌધરીએ હાજરી આપી હતી.