સુપ્રિમ કોર્ટ દ્વારા ધરપકડનો આદેશ આપ્યાના એક કલાક બાદ જ કોલકતા હાઇકોર્ટના જ્જ સી.એસ.કર્ણનને દેશની સર્વોચ્ચ અદાલતને ફગાવી દેતા કહ્યુ છે કે, હું પહેલા જ સુપ્રિમ કોર્ટના આદેશને રદ્દ કરવાનો આદેશ આપી ચુકયો છું. જસ્ટીસ કર્ણનને કહ્યુ છે કે સુપ્રિમ કોર્ટે સવારે ૧૧ વાગ્યે આદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ છે કે મેં સવારે ૧૧-ર૦ કલાકે સુપ્રિમ કોર્ટના આદેશને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ મીડીયાને મારૂ નિવેદન ન છાપવાનુ કઇ રીતે જણાવી શકે છે. જસ્ટીસ કર્ણન ચેન્નાઇના ચેપક ગર્વમેન્ટ ગેસ્ટહાઉસમાં મીડીયાને મળ્યા હતા.
સુપ્રિમ કોર્ટ ૯મીના રોજ મીડીયાને જસ્ટીસ કર્ણનના કોઇપણ નિવેદન નહી છાપવા કહ્યુ હતુ. આમ છતાં તેમણે પોતાના લેટરપેડ ઉપર લખેલુ એક નિવેદન જારી કર્યુ હતુ અને કહ્યુ હતુ કે આ મારો આદેશ છે. તેમણે કહ્યુ હતુ કે, મેં સીબીઆઇને સુપ્રિમ કોર્ટના ૭ જ્જો વિરૂધ્ધ એસટી એકટ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
જસ્ટીસ કર્ણને કહ્યુ હતુ કે શું હું અસામાજીક તત્વ છુ ? શું હું ત્રાસવાદી છું? તેઓ પ્રતિબંધ આદેશ કઇ રીતે આપી શકે છે ? મને સાંભળ્યા વગર તેઓ મારી વિરૂધ્ધ ફેંસલો કઇ રીતે આપી શકે ? હું ધરપકડ કે જેલથી નથી ડરતો, લોકો મારી સાથે છે. આ બાબત ન્યાયીક વ્યવસ્થાની નિષ્ફળતા છે. હું પહેલા જ જેલ જોઇ ચુકયો છું. તેઓ કહે છે કે હું નેપોલીયન જેવો છુ, હું ડો.આંબેડકરનો દત્તક પુત્ર છુ, તેઓ કહેતા હું પાગલ છુ, જો હું પાગલ હોઉ તો મને શા માટે જેલમાં મોકલવામાં આવ્યો નથી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.