Mehsana: મહેસાણામાં ટ્રેઈની વિમાન દુર્ઘટનામાં AAIB રિપોર્ટ જાહેર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

Mehsana: એરપોર્ટથી માત્ર 4 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો

Mehsana: મહેસાણામાં 31 માર્ચ 2025ના રોજ બનેલી ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ રિપોર્ટ જાહેર કર્યો છે. મહિલાત્રેની પાઈલટની સિંગલ ક્રોસ-કન્ટ્રી ફ્લાઈટ દરમિયાન વિમાન અચાનક ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાનને મહેસાણા એરટ્રાફિક કન્ટ્રોલ સાથેનો અંતિમ સંપર્ક માત્ર 4 નોટિકલ માઈલના અંતરે, 2000 ફૂટ ઊંચાઈએ થયો હતો.

વિમાન અચાનક ઉચરપીના ખેતરમાં પડ્યું

વિમાનનું સ્થાન મળતા પહેલાં સંસ્થાના બે જુદા જુદા ફલાઇટ ઇન્સ્ટ્રક્ટરોએ VT-PBAને શોધવા ઉડાન ભરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આખરે ઉચરપી ગામના ખેડૂતોએ ખેતરમાં ક્રેશ થયેલું વિમાન જોયું અને મહિલા પ્રશિક્ષણ પાઈલટને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. દુર્ઘટના સમયે વિમાનનું ઈમરજન્સી ટ્રાન્સમિટર ELT સક્રિય થયું હતું, જે આપમેળે બચાવ સંકેતો મોકલવાનું કાર્ય કરે છે.

Mehsana

બાંસવાડા અને ડીસા થઈ પાછું મહેસાણા આવવાનું હતું

વિમાનનું શિડ્યુલ બાંસવાડા અને ડીસા થઈ પરત મહેસાણા આવવાનું હતું. સવારે 9:46 કલાકે વિમાને રનવે 5 પરથી ટેક ઑફ લીધું હતું. આરંભમાં તમામ તંત્રો સામાન્ય હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાઈલટનું બ્લડ એલ્કોહોલ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યું હતું.

કેમ થયો સંપર્ક તૂટી જવાનો સંજોગ?

AAIBએ આ રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ જરૂરી છે. કેમકે, પાઈલટે પોતાનો છેલ્લો સંદેશ આપ્યા બાદ વિમાન અને ATC વચ્ચે કોઈ જ સંપર્ક થયો નહોતો. આ સંજોગોએ તાલીમ લેતી ફ્લાઈટમાં ATC સાથે સતત સંપર્ક અને સલામતી નિયમોને વધુ ગંભીરતાથી લેવાની જરૂરિયાત ઊભી કરી છે.

Mehsana

એવિએશન એકેડેમી મૌન

બ્લુ રે એવિએશન એકેડેમી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ AAIBના રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે, આ ઘટનાએ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં તાલીમ દરમિયાન સુરક્ષાના માપદંડોને પુનઃમુલ્યાંકન કરવાની જરૂરિયાત જણાવી છે.

TAGGED:
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.