સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પંદોલ ખાતે આજ રોજ અન્ન- બ્રહ્મ યોજના હેઠળ વિના મૂલ્યે રેશનકાર્ડ વિનાના લોકોને અનાજ ફાળવવામાં આવી રહ્યું છે.વહેલી સવારથી અહીં આશરે બે દોઢ કિલો મીટર સુધી લોકોની લાંબી કતાર જોવા મળી.લાંબી કતારો અને લોકોની મોટી ભીડ વચ્ચે સોસીયલ ડિસ્ટનસિંગ નો અભાવ જોવા મળ્યો.જ્યાં ભીડમાં કોઈ પોઝીટીવ વ્યક્તિ હાજર હોય તો અન્ય વ્યક્તિને પણ તેનું જોખમ હોય છે.તંત્ર દ્વારા પણ લોકોને અવારનવાર સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.જો કે અહીં જોવા મળેલી મોટી ભીડમાં સોંસીયલ ડિસ્ટનસિંગનો અભાવ તો હતો જ સાથે મોટાભાગના લોકો માસ્ક વિના જ અનાજ લેવા માટે આવી પોહચ્યા હતા.જે વિચલિત કરતા આ દ્રશ્યો જોવા મળ્યા હતા…..