માહિતી બ્યૂરોઃવલસાડઃ તા.૨૬: રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તા.૨૭/૫/૧૭ના રોજ સવારે ૯-૫૦ કલાકે મોટાપોંઢા હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી સવારે ૧૦-૦૦ થી ૧૧-૧૫ દરમિયાન માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ અને ધરમપુર-કપરાડા તાલુકાના જુની શરતના નવી શરતના હુકમ તથા વન અધિકાર ધારા હેઠળના આદેશપત્રોના વિતરણ તથા જનતા કેળવણી મંડળના કૉલેજ બિલ્ડિંગના નામકરણ અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ સવારે ૧૧-૧૫ કલાકે મોટાપોંઢા સ્થળેથી હેલીપેડ થઇ સવારે ૧૧-૪૦ કલાકે ગુંદલાવ હેલીપેડ ઉપર આવશે અને ૧૧-૪૫ કલાકે ધમડાચી વૈષ્ણોદેવી મંદિર ખાતે યોજાનાર સમૂહલગ્ન સમારોહમાં હાજરી આપશે. મંત્રીશ્રી બપોરે ૧૨-૪૫ કલાકે ધમડાચીથી રવાના થઇ બપોરે ૧-૦૦ વાગે વલસાડ સર્કિટ હાઉસ ખાતે આવશે. મંત્રીશ્રી બપોરે ૦૨-૧૫ કલાકે સર્કિટ હાઉસથી નીકળશે અને બપોરે ૩-૦૦ કલાકે ધોડીપાડા, તા.ઉમરગામ ખાતે યોજાનાર સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ સૂરત જવા રવાના થશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.