શું પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે? ઈસ્લામાબાદમાં અફઘાન એરફોર્સનો પાયમાલ, મુનીરના નજીકના સાથીનો સફાયો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: ઈસ્લામાબાદ સહિત અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હવે યુદ્ધ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હોય તેવું જણાય છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે શુક્રવારે પાકિસ્તાનના વિવિધ સૈન્ય મથકો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કાબુલ, કંધાર અને પક્તિયામાં કરવામાં આવેલી કથિત હવાઈ ઘૂસણખોરીના જવાબમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત નૌશેરા, જમરૂદ અને એબટાબાદ જેવા મહત્વના લશ્કરી વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

ઈસ્લામાબાદમાં હુમલો: પાકિસ્તાની આર્મી ચીફના સલાહકારનું મોત

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે લગભગ ૧૧ વાગ્યે અફઘાન વાયુસેનાએ ઇસ્લામાબાદના ફૈઝાબાદમાં આવેલા સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, આ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના સલાહકાર ‘આશિક’નું મોત નીપજ્યું છે. આ ઉપરાંત નૌશેરાની આર્મી કેન્ટોનમેન્ટ અને એબટાબાદના સૈન્ય ઠેકાણાઓ પર પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં પાકિસ્તાનના વધુ મોટા શહેરોને નિશાન બનાવવામાં આવશે.

- Advertisement -

pak.jpg

પાકિસ્તાનનો વળતો પ્રહાર: ‘ઓપરેશન ગજબ લિલ હક’

અફઘાનિસ્તાનના આ હુમલા બાદ પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે અને અફઘાનિસ્તાન સાથે ખુલ્લા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનના હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ ‘ઓપરેશન ગજબ લિલ હક’ શરૂ કર્યું છે. પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં તાલિબાનના ૧૩૩ લડવૈયાઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે, જોકે અફઘાનિસ્તાને આ આંકડાઓને નકારી કાઢ્યા છે.

- Advertisement -

pak1.jpg

સીમા પર તણાવ અને માનવીય સંકટ

બંને દેશો વચ્ચે સીમા પર થઈ રહેલી અથડામણને કારણે તોરખમ બોર્ડર પર રહેતા અફઘાન શરણાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, ગયા વર્ષે લગભગ ૨૯ લાખ લોકો પાકિસ્તાન છોડીને અફઘાનિસ્તાન પરત ફર્યા હતા અને આ વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ છે. અગાઉ કતાર અને તુર્કીમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો થયા હતા, પરંતુ તાજેતરની એરસ્ટ્રાઈક બાદ હવે શાંતિની આશા ઓછી દેખાઈ રહી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.