ફિલીપીન્સના પ્રસિધ્ધ ટુરીસ્ટ રિસોર્ટ વર્લ્ડ મનીલામાં અંધાધુંધ ગોળીબાર અને ધડાકા થયાના અહેવાલો મળી રહ્યા છે જેમાં ૩૪ લોકોના મોત થયા છે. એક નકાબપોશ બંદુકધારીએ આ હુમલો કર્યો હતો. આ ઘટનાની જવાબદારી આઇએસઆઇએસઆઇએ લીધી છે. આ ઘટના બાદ રિસોર્ટ વર્લ્ડ મનીલાને બંધ કરી દેવામાં આવેલ છે. આઇએસઆઇએસના લડાકુઓ આ રિસોર્ટમાં ઘુસી ગયા હતા અને આતંક ફેલાવ્યો હતો.
મળતા અહેવાલો મુજબ પોલીસ અને સૈન્ય ઘટના સ્થળે પહોંચી ગયુ છે. હોટલમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યુ છે કે ચહેરા પર માસ્ક બાંધીને આવેલ એક વ્યકિતને નિહાળ્યો તો તે હોટલના મહેમાનો ઉપર ગોળી ચલાવતો હતો. આ ઘટનામાં ૩૪ લોકોના મોત થયાનુ સીએનએન જણાવી રહેલ છે. આજે વહેલી સવારની આ ઘટના હતી.
ફિલીપીન્સ પોલીસના જણાવ્યા પ્રમાણે એક ગનમેને મનીલા કેસીનોમાં અંધાધુંધ ગોળીબાર કરી ત્રાસવાદી હુમલો કર્યો હતો અને પોતાની જાતને પણ મીટાવી દીધી હતી. આ હુમલાને પગલે કેસીનોના મશીનો અને ટેબલ સળગી ગયા હતા. આ ઘટના બાદ અત્યાર સુધીમાં ૩૪ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા તેમ સ્થાનિક વર્તુળો જણાવી રહ્યા છે અને અનેક લોકોને ઇજા પણ થઇ છે. અંધાધુંધ ફાયરીંગ ઘટનાને લઇને રિસોર્ટમાં ભાગદોડ મચી હતી અને લોકો બારીઓમાંથી નીચે કુદતા પણ દેખાયા હતા.
રિસોર્ટ વર્લ્ડ મનીલા સંકુલમાં અનેક હોટલ, બાર, શોપીંગ સેન્ટર અને કેસીનો આવેલા છે. આ ઘટના એવા સમયે થઇ છે કે જયારે ફિલીપીન્સની સેના ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કટ્ટરપંથીઓ વિરૂધ્ધ દક્ષિણ દ્વીપ મીનડાનાઓના મારાવી શહેરમાં એક મોટુ અભિયાન ચલાવી રહી છે. આ ઘટનાની જવાબદારી આઇએસઆઇએસએ લીધી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.