બન્ને ટીમો વચ્ચે ચેમપિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી ત્રણ મેચો રમાઈ છે, જેમાંથી બે મેચ પાકિસ્તાને અને એક મેચ ભારતે જીતી છે.આવતીકાલની મેચમાં ઈંગ્લેન્ડની પીચોને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ સ્પિનર આર અશ્વિનને ટીમની બહાર રાખી શકે છે. જ્યારે ઝડપી બોલરોમાં ઉમેશ યાદવ, ભુવનેશ્વરકુમારની જગ્યા નક્કી મનાઈ રહી છે. તો ત્રીજા બોલર તરીકે બુમરાહ અને શમી વચ્ચે હરીફાઈ રહેશે.
પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડયાનું પણ ટીમમાં સ્થાન નિશ્ચિત છે, સાથે જ જાડેજાને પણ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળશે. ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજસિંહ રમવાના છે. જ્યારે છઠ્ઠા સ્થાન માટે દિનેશ કાર્તિક અને કેદાર જાધવ વચ્ચે હરીફાઈ રહેશે. જેના કારણે અજિંક્યે રહાણેને બહાર બેસવુ પડી શકે છે. મેચ પહેલા પાકિસ્તાની ટીમના ઓલરાઉન્ડર વહાબ રીયાઝને ઈજા થતા તે આજેની મેચ રમે તેવી નહિવત શક્યતા છે. પાકિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ જ જરુરી છે. જો પાકિસ્તાનની ટીમ મેચ હારશે તો ૨૦૧૯ના વર્લ્ડકપમાં સીધુ ક્વોલીફાય કરવુ પાક માટે મુશ્કેલ બનશે. કારણકે આઈસીસીના નિયમ મુજબ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી વન-ડે રેકીંગમાં ટોપ પર રહેનાર સાત ટીમોને જ સીધા ક્વોલીફાયની તક મળશે. પાક અત્યારે રેકીંગમાં આઠમાં ક્રમાંકે છે અને ટ્રોફી બાદ સપ્ટેમ્બર સુધી તેને કોેઈ જ વન-ડે શ્રેણી રમવાની નથી.