નવી દિલ્હી : લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પર 20 ભારતીય જવાનોની શહાદત બાદ દેશમાં ચીન પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. બધે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ચીનનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન, જયપુરના વેપારીઓએ નિર્ણય લીધો છે કે હવે દરેક દુકાનમાં ચીની ચીજોનો બહિષ્કાર કરવા માટેનું બેનર પોસ્ટર લગાવવામાં આવશે.
જયપુર બીઝનેસ બોર્ડે આજે (22 જૂન) જયપુરના રાજા પાર્કમાં 15 હજાર પોસ્ટર દુકાનોમાં લગાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી. જયપુર બીઝનેસ બોર્ડે પણ નક્કી કર્યું છે કે હવે કોઈ પણ ચાઇનીઝ મોબાઈલ કંપનીઓ અથવા ચીની પ્રોડક્ટ દુકાનોમાં દેખાશે નહીં. જે લોકો ચાઇનીઝ મોબાઈલ ખરીદવા આવશે તેઓને સેમસંગ અને નોકિયાના મોબાઇલ બતાવવામાં આવશે.