અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં થયેલા એક સરવેએ અમદાવાદીઓની ઉંઘ હરામ કરી દીધી છે. ત્યારે કોરોના વાયરસની અસર જાણવા માટે કરાયેલા સીરો સરવે મુજબ અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં 49 ટકા લોકો એટલે કે અડધોઅડધ વસ્તી કોરોનાથી સંક્રમિત હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
- અમદાવાદમાં ૪૯ ટકા લોકોને કોરોના !
- કોરોનાની અસર જાણવા માટે કરાયેલા સીરો સરવેમાં ચાંકાવનારો ઘટસ્ફોટ
- અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૪૯ ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત !
- અમદાવાદમાં અત્યાર સુધી અંદાજે ૧૫ લાખ લોકોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા
- કેન્દ્ર સરકારે દેશના ૧૧ સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કરાવ્યો સરવે
- અમદાવાદમાં ૪૯૬ લોકોના ટેસ્ટમાંથી ૪૮.૯૯ ટકા લોકોમાં એન્ટિ બોડી વિકસી
- રેન્ડમ સેમ્પલિંગના આધારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં કરાયો સરવે
- વિવિધ સ્થળે રહેતી વસ્તી પર કોરોનાની કેટલી અસર થઇ તે જાણવાનો સરવેનો હેતુ
- અમદાવાદ બાદ મુંબઇ, આગરા અને પૂણેના કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકો સૌથી વધુ સંક્રમિત
કેન્દ્ર સરકારે દેશનાં 11 સૌથી વધુ કોરોના વાઈરસ પ્રભાવિત શહેરોના કન્ટેઈનમેન્ટ ઝોનમાં આ સરવે કરાવ્યો છે. જે મુજબ અમદાવાદમાં 49 ટકા જેટલા લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે આ સરવે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરાયો છે… આ સરવેનો હેતુ વિવિધ સ્થળે રહેતી વસતી પર કોરોનાની કેટલી અસર થઈ તે જાણવાનો હતો.
ઉલ્લેખનીય છે કે સરવે મુજબ અમદાવાદના કન્ટેઇનમેન્ટ ઝોન પછી કોરોનાનો સૌથી વધુ ભોગ મુંબઇ… આગરા અને પૂણેના કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા લોકો બન્યા છે.મહત્વનું છે કે અમદાવાદમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં અંદાજે 15 લાખ લોકોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી 49 ટકા લોકો સંક્રમિત બન્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસના આંકડા એક સમયે ઘટયા બાદ ફરી ઉછાળો આવતા દહેશત વધી છે. જો કે મોટા ભાગના કેસો એ- સિમ્ટોમેટિક હોવાથી લોકો ઘેરબેઠા સારવાર લેવાનું પસંદ કરતા થયા છે જેના કારણે હોસ્પિટલોમાં ધસારો ઘટયો છે. જો કે ગંભીર પ્રકારના દર્દીઓને આઇસીયુ બેડ મળતો નથી તે બાબત પણ એટલી જ સાચી છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 181 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન આજે કરૂણ મૃત્યુ થયેલા છે જ્યારે સાજા થયેલા 195 લોકોને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.