કોરોના વાયરસને દરેક રીતે પ્રભાવહીન કરવા માટે વિશ્વભરમાં કામ ચાલી રહ્યું છે. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા સંશોધકો તેમની રીતે વાયરસને નાબૂદ કરવા માટે નવી રીતો શોધી રહ્યા છે. આ ક્રમમાં, અમેરિકાથી તાજેતરમાં સમાચાર આવ્યા છે. અમેરિકન વૈજ્ઞાનિકો દાવો કરે છે કે તેમણે નેનોબોડીઝવાળો એન્ટી-કોરોના સ્પ્રે તૈયાર કર્યો છે, જેનો ઉપયોગ ઇન્હેલર તરીકે કરવામાં આવશે.એકવાર ઈન્હેલ કર્યા પછી, તેની નેનોબોડીઝ કોરોના ચેપ ફેલાવનારા વાયરસને નાકમાં પહોંચતા અટકાવશે. આ રીતે, વાયરસ ગળા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ શક્ય છે કારણ કે આ નસલ સ્પ્રે કોરોના વાયરસના ઉપલા પ્રોટીન સ્તરને અવરોધિત કરે છે.પ્રોટીન દ્વારા કોરોના વાયરસને અવરોધિત કરતી આ નસલ સ્પ્રેનું ઉત્પાદન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે.
સંશોધનકર્તા ટીમે જણાવ્યું છે કે આ ઇન્હેલર તૈયાર કરવા માટે કોરોના એન્ટિબોડીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.નેનોબોડીઝ પ્રથમ એન્ટિબોડીઝમાંથી બનાવવામાં આવી હતી. લેબમાં નેનોબોડીઝ વિકસિત કરતી વખતે આને જેનેટિકલી મોડિફાઈ કરવામાં આ રીતે સંશોધિત કરવામાં આવી છે. જેથી તેઓ કોરોના વાયરસને રોકવા માટે ખાસ કામ કરે. તેઓ મુખ્યત્વે કોરોના વાયરસના બાહ્ય પડને અસર કરે છે, જે પ્રોટીનથી બનેલું છે.સંશોધનકર્તા ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઇન્હેલરને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી નેનોબોડીઝ લામા અને ઉંટ જેવા પ્રાણીઓમાં જોવા મળતા એન્ટિબોડીઝથી વિકસિત થાય છે. તેઓ શરીરની ઈમ્યુનિટી અનેકગણી વધારવાનું કામ કરે છે.આ બનાવતી ટીમ હવે આ નસલ સ્પ્રેનું મોટા પાયે હ્યુમન ટ્રાયલ તૈયાર કરી રહી છે. જો આ હ્યુમન ટ્રાયલ 100 ટકા સફળ રહેશે, તો આ નસલ સ્પ્રે કોરોના વાયરસથી થતાં રોગચાળાને રોકવાનો એક સરળ અને અસરકારક માર્ગ સાબિત થશે.