પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થિઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થિઓ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય પાત્ર ખેડૂતોને પણ આપવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ ખેડૂતો સસ્તા દર ઉપર કૃષિ લોન લેવા માટે કરવામાં આવે છે. સરકાર તેના મારફતે 4 ટકાના સસ્તા વ્યાજની લોન આપી રહી છે. પાંચ વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન લઈ શકાય છે. લોન સામાન્ય રીતે 9 ટકાના વ્યાજદરે મળે છે. પરંતુ સરકાર તેના ઉપર બે ટકા સબ્સીડી આપે છે. સમય ઉપર લોનની ભરપાઈ કરવાથી ખેડૂતોને વધારાના ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
ખેડૂતોએ લોન લીધા બાદ નથી કરી ચુકવણી અનેક કિસ્સાઓ આવ્યા સામે
આવા પણ કિસ્સા સામે આવ્યા છે જ્યારે ખેડૂતે લોન લીધા બાદ તેણે ચુકવી ન હોય, બેંક તરફથી કેટલીક વખત નોટીસ મળ્યા બાદ પણ લોનનો પૈસો નહીં જમા કરાવવા ઉપર લોનધારક ખેડૂત સાથે કડક એક્શન લેવામાં આવે છે. આવા કેસો પણ સામે આવ્યાં છે. જેમાં લોન લોન નહીં ચુકવતા પ્રશાસનના આદેશ ઉપર ખેડૂતોને જેલમાં મોકલવામાં આવ્યાં છે. એસડીએમના આદેશો ઉપર ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવે છે.
નોટીસને ન કરતા નજરઅંદાજ
કેસીસીસ ઉપર લેવામાં આવેલી લોનને 31 માર્ચ સુધી પરત કરવાની હોય છે. કોરોના સંક્રમણ અને પછી લોકડાઉનને જોતા તેને 31 ઓગષ્ટ સુધી કરવામાં આવી છે. પરંતુ જો તમને બેંક તરફથી લોન ચુકવવાની નોટીસ મળી છે તો તેને જરાપણ નજરઅંદાજ કરતા નહીં અને તુરંત લોનની ચુકવણી કરો.