સામાન્ય લોકો અને વેપારીઓ માટે એક મહત્વની ખબર આવી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક (Aditya Birla Idea Payment Bank)ના બેન્કિંગ નિયમન અધિનિયમ અંતર્ગત બેન્કિંગ કંપનીનો દરજ્જો હવે હટાવી દીધો છે. RBIએ આ અંગે જાણકારી આપી છે. ગત વર્ષે નવેમ્બરમાં RBIએ કહ્યું હતું કે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કનો સ્વૈચ્છિક ધોરણે બિઝનેસ સમાપ્ત કરવાની અરજી બાદ આ ફડચાની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય બેન્કે એક અધિસીચનામાં કહ્યું કે, બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 અંતર્ગત આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક હવે બેન્કિંગ કંપનીના રૂપમાં સમાપ્ત થઇ ગઇ છે. આ વ્યવસ્થા 28 જુલાઇ 2020થી પ્રભાવમાં છે.ગત વર્ષે જુલાઇમાં વોડાફોન-આઇડિયા લિમિટેડે (Vodafone Idea Limited) શેર માર્કેટને આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કનું સંચાલન બંધ કરવાની સૂચના આપી હતી. જેના કારણે કંપનીના બિઝનેસને અનિશ્વિત પરિસ્થિતિઓનો શિકાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેણે તેના આર્થિક મોડેલને અવ્યવહારિક બનાવી દીધો હતો.આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કને એપ્રિલ 2017માં રિઝર્વ બેન્ક પાસેથી બેન્કિંગ કંપની તરીકે કામ કરવાનું લાયસન્સ મળ્યુ હતું. તેણે 22 ફેબ્રુઆરી 2018ના રોજ પોતાનું સંચાલન શરૂ કર્યુ હતું.આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના 51 ટકા અને વોડાફોન-આઇડિયા લિમિટેડની 49 ટકા પાર્ટનરશિપ હતી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.