અમદાવાદમાં GCCIની ચૂંટણીની મતગણતરીમાં વિવાદ થયો હતો. જેથી મતગણના બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે આત્મનિર્ભર પેનલને મતદાનના ડેટા આપવામાં આવતા મતગણતરી શરૂ કરવામાં આવી. મતગણતરી દરમ્યાન આત્મનિર્ભર પેનલ વાંધો ઉઠાવ્યો. સ્ટ્રોંગ રૂમ ખોલવાની ના પાડી જેથી પેનલ દ્વારા ચૂંટણી અધિકારી પર પક્ષપાત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આત્મનિર્ભર પેનલનું કહેવુ છે કે, બેલેટ પેપરના ડેટામાં ગરબડ કરવામાં આવી રહી છે.
પેનલ દ્વારા ચૂંટણી અધિકારી પર પક્ષપાત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે પડેલા બેલેટ અને કોમ્યુટરમાં સ્કેન થયેલા બેલેટમાં તફાવત છે. જેથી ડેટા નહીં મળે ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલવા આત્મનિર્ભર પેનલે ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ ચૂંટણી અધિકારીએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી મીડિયાને કવરેજ કરતા અટકાવ્યા હતા. વિવાદના કારણે મતગણતરી અટકાવવામાં આવી હતી.