રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત 50 ટકા ઓક્સિજન ઇન્ડસ્ટ્રીઝને આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઉત્પાદન થતા કુલ ઓક્સિજન પૈકી 50 ટકા ઇન્ડસ્ટ્રીઝને અને 50 ટકા હોસ્પિટલમાં આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ સેક્રેટરી વીજી વણઝારા દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઓક્સીજનની વિકાસ બંધ કરતા ગુજરાતમાં ઓક્સિજનની ઘટ્ટ વર્તાઈ શકે છે ત્યારે ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગેસિસ મેન્યુફેકચરિંગ એસોસિયેશનના ગુજરાતના નોડલ ઓફિસર જીગ્નેશ શાહે ઘટસ્પોટ કર્યો છે કે રાજ્યમાં અંદાજે ૨૫૦થી ૩૦૦ ટન ઓક્સીજન વપરાય છે તેની સામે અંદાજે 600થી 700 ટન ઓકિસજન બને છે. તો વધેલો ઓક્સીજન જાય છે ક્યા.જે સવાલનો જવાબ પણ તેમણે આપ્યો હતો અને કહ્યું જે વધારાનો ઓક્સીજન ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં સપ્લાય કરવામાં આવે છે. તેમજ ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝમાં બાકીનો ઓકિસજન જઈ રહ્યો છે.જો સરકાર લીકવિડ ઓકિસજન રાજ્ય બહાર જતો અટકાવે અને ઈન્ડસ્ટ્રીઝમાં વપરાશ ઓછો કરાવે તો ઓકિસજનની ઉણપ વર્તાશે નહી. રાજ્યમા ઓકિસજન સ્ટીલ એન્ડ રોલિંગ મિલ, ફાર્માસિટીકલ કંપની, એન્જિનિયરિંગ યુનિટ અને શિપ કટિંગ યુનિટ જેવી ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.