નવી દિલ્હી : ડિયાજિયો ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ (સીઈઓ) આનંદ કૃપાલુ 1 ઓક્ટોબરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોર (આરસીબી) ના અધ્યક્ષ તરીકે સંજીવ ચૂરીવાલાની જગ્યા લેશે.
આનંદ ડિયાજિયો ઇન્ડિયાના સીઈઓની સાથે મેનેજિંગ ડિરેક્ટર પણ છે. ફ્રેન્ચાઇઝીના નેતૃત્વમાં પરિવર્તન અંગે આનંદે કહ્યું, ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડિયાજિયો ઇન્ડિયાનો અભિન્ન અંગ છે અને હું છેલ્લા છ વર્ષથી પડદા પાછળથી ટીમની યાત્રાનો એક ભાગ છું.’
તેમણે કહ્યું, ‘નવી સિઝનની શરૂઆતથી વિરાટ (કોહલી), માઇક હેસન અને સિમોન કૈટિચ સાથેની ટીમનું નેતૃત્વ કરવું એ એક નવું ઉત્તેજક પ્રકરણ હશે.’
તેમણે કહ્યું કે, “હું આરસીબી અને ડિયાજિયોમાં ફાળો આપવા બદલ સંજીવનો આભાર માનું છું અને ભવિષ્યમાં તેમની નવી ભૂમિકા માટે તેમને શુભેચ્છા પાઠવું છું.” આરસીબીની ટીમ આઈપીએલની 13 મી સીઝનમાં 21 સપ્ટેમ્બરથી તેમનો અભિયાન શરૂ કરશે. તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સાથે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ટીમ –
એરોન ફિંચ, દેવદત્ત પદ્વિકલ, પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, ગુરકીરત માન, શિવમ દુબે, ક્રિસ મોરિસ, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, આદમ જાંપા, ઇસુરુ ઉદાના, મોઈન અલી , જોશ ફિલિપ, પવન નેગી, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.