ભારતમાં એક જ દિવસમાં એક લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને આ સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 45 લાખને પાર થઈ ગઈ છે તેમજ રિકવરી રેટ 80.86 ટકા થયો છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું. પીટીઆઈની ટેલી મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 45,68,479 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 56,30,192 થયા છે, મૃત્યુઆંક 89,911 થયો છે.ભારતમાં કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 79 ટકા દર્દીઓ નવ રાજ્યોના છે. આ નવ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશષ તમિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 32,000થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થયા છે જ્યારે આંધ્ર પ્રદેશમાંથી એક જ દિવસમાં 10,000થી વધુ દર્દી સાજા થયા છે. કોરોનાના રિકવરી રેટમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકારની ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ વ્યૂરચના અને કેન્દ્રના નેતૃત્વમાં લેવાયેલાં આગોતરા પગલાંના કારણે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટ અને સારવારની પ્રોટોકોલના પગલે ભારતમાં રિકવરી રેટ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે અને છેલ્લા ચાર દિવસમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બેઠકમાં દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બુધવારે કોવિડ-19ની સિૃથતિ અંગે સમિક્ષા કરશે.બુધવારે યોજાનારી આ સમિક્ષા બેઠકમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. દેશમાં કોરોનાના 63 ટકાથી વધુ એક્ટિવ કેસ આ રાજ્યોમાં નોંધાયા છે તેમ સરકારે જણાવ્યું હતું. દેશમાં કુલ કન્ફર્મ્ડ કેસમાંથી 65.5 ટકા કેસ અને કુલ મૃત્યુમાંથી 77 ટકા મોત આ રાજ્યોમાં થયા છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.