કોરોના મહામારીમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની બે નોન કોવિડ હોસ્પિટલમાથી PPE કીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલ જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પીપીઈ કીટનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એલ જી હોસ્પિટલે બે જ દિવસમા રૂ 8 લાખથી વધુની કિમંતની PPE કીટની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું ત્યારે બીજી તરફ શારદાબેન હોસ્પિટલમાં એક જ મહિનામા રૂ 25 લાખની PPE કીટ ખરીદાઈ હોવાનું સામે આવ્યું છે. AMC દ્વારા PPE કીટનો જથ્થો આપવામાં આવ્યો હોવા છતાં કીટ ઊંચા ભાવે ખરીદવામાં આવી છે. નોંધપાત્ર છે કે રૂ 630 અને રૂ 792ના ભાવે 600થી વધુ કીટ ખરીદવામાં આવી છે.
કોણે આચર્યુ પીપીઇ કીટ કૌભાંડ?
- પીપીઇ કીટ કૌભાંડ આવ્યું સામે
- કોણે આચર્યુ પીપીઇ કીટ કૌભાંડ?
- કોણ છે આ કૌભાંડ પાછળ માસ્ટર માઇન્ડ?
- એએમસી દ્વારા પીપીઇ કીટનો જથ્થો આપવામાં આવ્યો છતાં કેમ પીપીઇ કીટની ખરીદી કરવામાં આવી?
- શા માટે ઊંચા ભાવે પીપીઇ કીટની ખરીદી કરવામાં આવી?
- કોણ કરી રહ્યું છે કૌભાંડીઓનો બચાવ ?
સમગ્ર કૌભાંડ મામલે એલ જી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટએ ખુલાસો કર્યો છે કે કોઈ ઊંચા ભાવે કીટ ખરીદવામાં આવી નથી..કોવિડ મહામારી હોવાથી ડોકટરો સંક્રમિત ન થાય તે માટે AMCના નિયમ મુજબ જ ખરીદી કરવાના આવી છે.. PPE કીટ બાબતે કોઈ કૌભાંડ થયું નથી તેવો બચાવ કર્યો હતો..અને વધુમાં કહ્યું હતું કે પીપીઈ કીટ ખરીદી ત્યારે કોવિડની ભારે મશમારી હતી..1200 થી 1500 રૂપિયાની એક કીટ મળતી હતી છતાં ઓછા ભાવે ખરીદી કરવાનો પ્રયાસ કરાયો છે…જેમાં કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો નથી.