હચમચાવી દે તેવી આ ઘટનાની રાજ્યની આરોગ્ય મંત્રી કે કે શૈલજાને થતાં તેમણે તપાસનો આદેશ કર્યો હતો. મલ્લાપુરમમાં ગર્ભવતી મહિલાના પતિ એન. સી, શરીફે કહ્યું હતું કે પાંચમી સપ્ટેમ્બરે તેમના ગર્ભવતી પત્ની સંક્રમિત થતાં 15 સપ્ટેમ્બરે તેને મેડિકલ કોલેજ મંજેરીમાં દાખલ કરાઇ હતી, પરંતુ સારવાર પછી રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપી દેવાઇ હતી.પરંતુ પેટમાં દુખાવો ઉપડતાં ફરી તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ ડોકટરોએ નેગેટિવ રિપોર્ટનો આગ્રહ કર્યો હતો. ત્યાર પછી તેઓ નેગેટિવ રિપોર્ડ લઇ ઇએમસી હોસ્પિટલ ઇડાવન્ના ગયા હતા, પરંતુ તેમણે એન્ટીજેન નેગેટિવ રિપોર્ટ માનવા ઇનકાર કર્યો હતો. ત્યાર પછી શરીફ 26 સપ્ટેમ્બરે દુખાવો સહન કરી રહેલી પત્નીને લઇને ફરી મેંજેરી હોસ્પિટલે ગયેલા, પરંતુ તેને અગાઉ કોરોના થયો હોવાથી ડૉક્ટરોએ ડીલીવરી કરાવવા ઇનકાર કરી દીધો હતો. અંતે તેઓ કોટ્ટાપરામ્બુનની હોસ્પિટલે ગયા હતા. પરંતુ ત્યાંથી પણ તેમને પાછા કાઢવામાં આવ્યા હતા અને કોઝીકોડ મેડિકલ કોલેજ જવા કહેવામાં આવ્યું હતું. સખત દુખાવો સહન કરી રહેલી શરીફની પત્ની રડવા લાગી હતી. ત્યાં પણ તેને દાખલ કરી ન હતી. છેવટે શરીફ પત્નીને લઇને ઓમાન્સી ખાતેની શાંતિ હોસ્પિટલ ગયા જ્યાં ડોકટરોએ કોવિડ નેગેટિવ આરટી-પીસીઆરનો આગ્રહ કર્યો હતો. એક જ દિવસમાં અનેક હોસ્પિટલોના ચક્કર કાપી થાકી ગયેલા શરીફને અંતે કોઝીકોડ હોસ્પિટલે સારવાર માટે સ્વીકારી તો લીધી પરંતુ ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયેલું અને ઉદરમાં શ્વાસ લઇ રહેલા જોડિયા બાળકો મરી ગયા હતા. કેરળ સરકારે આખી ઘટનાની ગંભીરતા લઇ દોષિતો સામે કાર્યવાહી કરવા સમિતિ રચી હતી. વિરોધ પક્ષોએ સરકાર પર દર્દીઓ પ્રત્યે ક્રૂર હોવાનો આક્ષેપ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ કસુરવારો સામે તપાસ કરી જલદી અહેવાલ આપવા આદેશ કર્યો હતો અને દોષિતો સામે સખત પગલાં ભરવા વચન આપ્યું હતું.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.