સરકારે નિર્માણ ઉપકરણ વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જન માપદંડોને અમલમાં લાવવાની સમયસીમાને આગામી વર્ષ સુધી આગળ વધારી દીધી છે. તે અનુક્રમે એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દીધી છે. પહેલા આ માપદંડ આ ઓક્ટોબર મહિનાથી લાગુ થવાના હતા. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મંત્રાલયે સીએમવીઆર 1989માં સંશોધનને અધિસૂચિત કર્યા છે, જેમાં ટ્રેક્ટરો (ટીઆરઇએમ સ્ટેજ- IV) માટે ઉત્સર્જન માપદંડોના આગામી ચરણને લાગુ કરવાની તારીખને આ વર્ષ ઓક્ટોબરથી હટાવીને આગામી વર્ષ ઓક્ટોબર કરી દીધી છે. જણાવી દઇએ કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઇ અસર નહી થાય કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવતી કંપનીઓ માટે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ અંગે કૃષિ મંત્રાલય, ટ્રેક્ટર નિર્માતાઓ અને કૃષિ સંઘો તરફથી વિનંતી કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્માણ ઉપકરણ વાહનો માટે આ માપદંડોને લાગુ કરવા પર છ મહિનાની છૂટ આપતા તેને એક એપ્રિલ 2021 કરી દીધી છે.તેમણે કહ્યું કે, આ સંશોધન, અન્ય મોટર વાહનોના ઉત્સર્જન માપદંડો (જે બીએસના માપદંડથી સંચાલિત છે) તથા કૃષિ મશીનરી, નિર્માણ ઉપકરણ વાહનો અને આવા અન્ય ઉપકરણો માટે પ્રદૂષણ માપદંડો વચ્ચે ભ્રમથી બચાવવાનો પણ પ્રયાસ કરે છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.