મુંબઈ : દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા પ્રભુ દેવા તેના ડાન્સને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. પ્રભુ દેવા ફરી એકવાર પોતાના લગ્નને લઈને લાઇમ લાઈટમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભુ દેવા ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 47 વર્ષીય પ્રભુ દેવા તેની ભાણકી સાથે જલ્દી જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. જોકે, પ્રભુ દેવા અથવા તેના નજીકના મિત્રોએ હજી સુધી આની પુષ્ટિ કરી નથી.
કોરિયોગ્રાફર અને ડાન્સર પ્રભુ દેવા ફરી એકવાર અંગત જીવન વિશે ચર્ચામાં છે. તેણે ગ્રુપ ડાન્સર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તે એક મહાન અભિનેતા અને દિગ્દર્શક છે. આ દિવસોમાં તેની પર્સનલ લાઇફ વિશે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે તે બીજી વખત લગ્ન કરવા જઇ રહ્યો છે અને તેની ભત્રીજીને ડેટ કરી રહ્યો છે. થોડા વર્ષો પહેલા પ્રભુદેવા તેની પત્ની રામલતા સાથેના વિવાદ બાદ અલગ થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, પ્રભુ દેવાએ વર્ષ 1995 માં પહેલી પત્ની રામલતા સાથે લગ્ન કર્યા હતા. બંનેના ત્રણ સંતાન હતા, પરંતુ 2008 માં, મોટા દીકરાનું કેન્સરને કારણે મોત થયું હતું અને 2011 માં, તેઓ સત્તાવાર રીતે અલગ થઈ ગયા હતા. પ્રભુદેવા હાલમાં સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય ઘણી તમિળ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક અભિનેતા તરીકે, ‘પોન મનિકવેલ’ પ્રભુ દેવાની 50 મી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પોલીસની ભૂમિકામાં જોવા મળશે.