અમદાવાદ તા. ૧૬ : રાજય સરકારે સિટી સેશન કોર્ટમાં અપીલ કરી છે કે પાટિદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા વિરૂદ્ઘ અરેસ્ટ વોરંટ ઇશ્યુ કરવામાં આવે. સરકારે આ માટે અપીલમાં જણાવ્યું છે કે રાજદ્રોહના કેસમાં કોર્ટની તારીખે તેઓ હાજર રહ્યા નથી માટે આ વોરંટ ઇશ્યુ કરવું જોઈએ.ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાને એ શરતે જામીન આપ્યા હતા કે તેઓ કોર્ટની તારીખોમાં કોઈપણ જાતની ગફલત વગર હાજર રહેશે અને કોર્ટને કાર્યવાહી પૂર્ણ કરવામાં સહાય કરશે. જોકે કોર્ટની પાછલી તારીખોમાં બંને હાજર રહ્યા નહોતા. જયારે બીજી એક અપીલમાં રાજય સરકારે કેતન પટેલની સુરક્ષાને લઈને ચિંતા વ્યકત કરતા સમગ્ર કેસ પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવા માટે પણ કોર્ટને અપીલ કરી હતી. તો આ કેસમાં પાસ તથા હાર્દિક પટેલનો સાથ છોડીદેનાર અન્ય એક આરોપી ચીરાગ પટેલે પણ કોર્ટને ઝડપી ટ્રાયલ માટે અરજી કરી છે.સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું કે કોર્ટે હજુ સુધી ચાર્જ ફ્રેમ કર્યા નથી. જયારે આ કેસની આગામી તારીખ ૨૦ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.